શોધખોળ કરો

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની મહત્વની બાબતો, જાણો વિગત

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે.

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેંદ્ર સરકાર ટ્રસ્ટના મેનેજમેન્ટના નિયમો બનાવે. મંદિર નિર્માણના નિયમો બનાવે. અંદર અને બહારનો ભાગ ટ્રસ્ટને આપવામાં આવે. મુસ્લિમ પક્ષને 5 એકરની વૈકલ્પિક જમીન મળે. કેંદ્ર 1993માં અધિગૃહિત જમીનથી આપે અથવા રાજ્ય સરકાર અયોધ્યામાં જ આપે. અમે અનુચ્છેદ 142 મુજબ મળેલી વિશેષ શક્તીઓનો ઉપયોગ કરતા મુસ્લિમ પક્ષને જમીન આપી રહ્યા છીએ. સરકાર ટ્રસ્ટમાં નિર્મોહીને પણ ઉપયુક્ત પ્રતિનિધિત્વ આપવા પર વિચાર કરે. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહ્યું છે કે વિવાદિત જમીન પર રામજન્મભૂમિ ન્યાસનો હક છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં 5 એકર જમીન કોઈ અન્ય જગ્યાએ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી જૂના કેસમાં ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. આ ચૂકાદામાં કોર્ટે વિવાદિત જમીનનો હક રામજન્મભૂમિને આપ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષ એટલે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ બીજી જગ્યાએ જમીન આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થળ માને છે. મુખ્ય ગુંબદને જન્મની સાચી જગ્યા માને છે. અયોધ્યામાં રામના જન્મ થવાના દાવાને કોઈએ વિરોધ નથી કર્યો. વિવાદિત જગ્યા પર હિંદુ પૂજા કરતા રહ્યા છે. સાક્ષીઓને ક્રોસ એક્ઝામિનેશનમાં હિંદુ દાવો ખોટો સાબિત નથી થયો. ચબૂતરા, ભંડાર, સીતા રસોઈથી પણ દાવાની પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઈટલ માત્ર આસ્થાથી સાબિત નથી થતું. સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે.
કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું કે, હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થાન માને છે. મુખ્ય ગુંબજને જ જન્મનું સાચુ સ્થળ માને છે. અયોધ્યામાં રામનો જન્મ હોવાનો દાવાનો કોઇએ વિરોધ કર્યો નહોતો. વિવાદીત સ્થળ પર હિંદુ પૂજા કરતા રહ્યા હતા. ચબૂતરા, ભંડાર, સીતા રસોઇના દાવાથી પણ પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઇટલ ફક્ત આસ્થાથી સાબિત થતા નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Embed widget