શોધખોળ કરો

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની મહત્વની બાબતો, જાણો વિગત

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે.

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેંદ્ર સરકાર ટ્રસ્ટના મેનેજમેન્ટના નિયમો બનાવે. મંદિર નિર્માણના નિયમો બનાવે. અંદર અને બહારનો ભાગ ટ્રસ્ટને આપવામાં આવે. મુસ્લિમ પક્ષને 5 એકરની વૈકલ્પિક જમીન મળે. કેંદ્ર 1993માં અધિગૃહિત જમીનથી આપે અથવા રાજ્ય સરકાર અયોધ્યામાં જ આપે. અમે અનુચ્છેદ 142 મુજબ મળેલી વિશેષ શક્તીઓનો ઉપયોગ કરતા મુસ્લિમ પક્ષને જમીન આપી રહ્યા છીએ. સરકાર ટ્રસ્ટમાં નિર્મોહીને પણ ઉપયુક્ત પ્રતિનિધિત્વ આપવા પર વિચાર કરે. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહ્યું છે કે વિવાદિત જમીન પર રામજન્મભૂમિ ન્યાસનો હક છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં 5 એકર જમીન કોઈ અન્ય જગ્યાએ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી જૂના કેસમાં ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. આ ચૂકાદામાં કોર્ટે વિવાદિત જમીનનો હક રામજન્મભૂમિને આપ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષ એટલે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ બીજી જગ્યાએ જમીન આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થળ માને છે. મુખ્ય ગુંબદને જન્મની સાચી જગ્યા માને છે. અયોધ્યામાં રામના જન્મ થવાના દાવાને કોઈએ વિરોધ નથી કર્યો. વિવાદિત જગ્યા પર હિંદુ પૂજા કરતા રહ્યા છે. સાક્ષીઓને ક્રોસ એક્ઝામિનેશનમાં હિંદુ દાવો ખોટો સાબિત નથી થયો. ચબૂતરા, ભંડાર, સીતા રસોઈથી પણ દાવાની પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઈટલ માત્ર આસ્થાથી સાબિત નથી થતું. સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહી. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા juristic person છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇકોર્ટના આદેશ પર પુરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માંગ ખોટી છે. કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું કે, હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થાન માને છે. મુખ્ય ગુંબજને જ જન્મનું સાચુ સ્થળ માને છે. અયોધ્યામાં રામનો જન્મ હોવાનો દાવાનો કોઇએ વિરોધ કર્યો નહોતો. વિવાદીત સ્થળ પર હિંદુ પૂજા કરતા રહ્યા હતા. ચબૂતરા, ભંડાર, સીતા રસોઇના દાવાથી પણ પુષ્ટી થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા. પરંતુ ટાઇટલ ફક્ત આસ્થાથી સાબિત થતા નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Embed widget