શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વાયુસેનાના હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી પણ ઠાર
![વાયુસેનાના હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી પણ ઠાર Azar Masood's brother in law Yusuf Azar died in air force attacks in PoK વાયુસેનાના હુમલામાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી પણ ઠાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/26143300/Sena-09.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ મોટી આતંકી વિરુદ્ધની કાર્યવાહી કરી, એરફોર્સે એલઓસી પાર કરીને આતંકી અડ્ડાઓને તબાહ કરી દીધા. પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે ભારતે પહેલીવાર મોટી એર સ્ટ્રાઇક કરી હતી.
ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 વિમાનોએ જબરદસ્ત એટેક કર્યો, 21 મિનીટ ચાલેલી કાર્યવાહીમાં પીઓકેમાં ત્રણ સ્થળે ભયંકર બૉમ્બમારો કર્યો. 1000 કિલો વિસ્ટોટક આતંકીઓ ઉપર ફેંક્યો અને આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.
આ અંગે માહિતી આપતાં ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર તો બચી ગયો પરંતુ તેનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી માર્યો ગયો છે.
ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવેલા હુમલામાં 350 આતંકી ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આતંકીઓનાં ઠેકાણા અને લોન્ચ પેડનો પણ ખાત્મો કરી દેવાયો છે. આ હુમલામાં જૈશનો આકા મસૂદ અઝહર પાકિસ્તાની સેનાની ઓથ પાછળ છુપાયો હોવાથી તો તે બચી ગયો છે પરંતુ તેનો સાળો યુસફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ઠાર મરાયો છે.
Key Jaish e Mohammed terrorists targeted in today’s air strikes: Mufti Azhar Khan Kashmiri, head of Kashmir operations(pic 1) and Ibrahim Azhar(pic 2), the elder brother of Masood Azhar who was also involved in the IC-814 hijacking pic.twitter.com/IUv1njNygA
— ANI (@ANI) February 26, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)