શોધખોળ કરો

Bihar: મીઠાઈ ચોરીના આરોપી બાળકને કોર્ટે નિર્દોષ છોડ્યો, જજે કહ્યું- ભગવાન કૃષ્ણ પણ માખણ ચોરીને ખાતા હતા

આ કેસ બિહાર શરીફના હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના ચેરો ઓપી હેઠળના ગામનો છે.

નાલંદા: હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં પાડોશીના ઘરે ફ્રિજમાં રાખવામાં આવેલી મીઠાઈ ચોરવાના આરોપી બાળકને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જુવેનાઇલ જસ્ટિસ કાઉન્સિલના પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ માનવેન્દ્ર મિશ્રાએ આદેશમાં કહ્યું છે કે આપણે બાળકોની બાબતમાં સહિષ્ણુ અને સહનશીલ બનવું પડશે. જો માખણની ચોરી બાળ લીલા છે, તો પછી મીઠાઈની ચોરી કેવી રીતે ગુનો છે? તેની કેટલીક ભૂલો સમજવી પડશે કે કયા સંજોગોમાં બાળકમાં દિશાહિનતા આવી છે.

બાળક સમજીને વાત પૂરી કરવી જોઈતી હતી

માનવેન્દ્ર મિશ્રા, પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ, જુવેનાઇલ જસ્ટિસ કાઉન્સિલે કહ્યું કે, એકવાર આપણે બાળકની લાચારી, સંજોગો, સામાજિક દરજ્જો સમજી લઈશું, સમાજ પોતે જ આગળ આવવા માટે તૈયાર થશે અને આ નાના ગુનાઓનો અંત લાવવા માટે મદદ કરશે. ઘણી વખત ભગવાન શ્રીકૃષ્ણ બીજાના ઘરમાંથી માખણ ચોરીને ખાતા હતા અને વાસણ તોડતા પણ હતા. જો તે સમયનો સમાજ વર્તમાન સમાજની જેમ જીવ્યો હોત તો બાળ લીલાની કથા ન બની હોત. બાળક ઘરે આવ્યો હતો અને મીઠાઈ ખાધી હતી તે જાણીને તેઓએ વાતચીતનો અંત લાવવો જોઈએ.

બિહારશરીફના હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો

તમને જણાવી દઈએ કે આ કેસ બિહાર શરીફના હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના ચેરો ઓપી હેઠળના ગામનો છે. બાળક આરા જિલ્લાનો રહેવાસી છે અને તે તેના મોસાળ આવ્યો હતો. 7 સપ્ટેમ્બરના રોજ તે પડોશના મામીના ઘરમાં ઘુસી ગયો હતો. ફ્રિજ ખોલ્યું અને તેમાં રાખેલી બધી મીઠાઈઓ ખાઈ ગયો હતો. ફ્રીઝની ઉપર એક મોબાઈલ રાખવામાં આવ્યો હતો, જે લાલચવશ લઈ ગયો અને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, તે જ સમયે મામીએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો.

'કેસ સામાન્ય ડાયરીમાં નોંધાવો જોઈતો હતો'

આ કિસ્સામાં, બાળ કલ્યાણ પોલીસ અધિકારીએ પણ તેના અહેવાલમાં પુષ્ટિ કરી છે કે તે ભૂખને કારણે પાડોશીના ઘરમાં પ્રવેશ્યો હતો. લાલચમાં આવીને તેણે મોબાઈલ લઈ લીધો હતો. અન્ય કોઈ ચોરાયેલી વસ્તુઓની પુષ્ટિ થઈ નથી. કોર્ટે કહ્યું કે બિહાર જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2017 હેઠળ પોલીસે આ કેસમાં એફઆઇઆર નોંધવાને બદલે ડેઇલી જનરલ ડાયરીમાં નોંધાવવી જોઇતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget