શોધખોળ કરો

ક્યારેક ચોખાની મિલમાં કામ કરતા હતા યેદિયુરપ્પા, ચોથી વખત બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી

નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભામાં સભ્યોની સંખ્યા હાલમાં 222 છે અને 14 ધારાસભ્યોના રાજીનામા અધ્યક્ષે નિર્ણય લેવાનો છે.

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પા ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. કુમાર સ્વામીની સરકાર પડ્યાના બે દિવસ બાદ યેદિયુરપ્પાએ કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. સરકાર બનાવ્યા બાદ તેમને 31 જૂલાઇ સુધી બહુમત સાબિત કરવો પડશે. નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભામાં સભ્યોની સંખ્યા હાલમાં 222 છે અને 14 ધારાસભ્યોના રાજીનામા અધ્યક્ષે નિર્ણય લેવાનો છે. યેદિયુરપ્પા પ્રથમવાર 12 નવેમ્બર 2007ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ સાત દિવસમાં જ તેમની સરકાર પડી ગઇ હતી. બીજી વખત 30 મે 2008માં મુખ્યમંત્રી બન્યા અને 31 જૂલાઇ 2011 સુધી પદ પર રહ્યા હતા. જોકે, કાર્યકાળ પૂરો થવાના અગાઉ રાજીનામું આપી દેવું પડ્યું હતું તેમના સ્થાને ડી વી સદાનંદ ગૌડા મુખ્યમંત્રી બન્યા હતા. 2018માં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ત્યારે  યેદિયુરપ્પા ફરી મુખ્યમંત્રી બન્યા પરંતુ બે દિવસ બાદ રાજીનામું આપી દેવું પડ્યુ હતું. હવે કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે. યેદિયુરપ્પાનો જન્મ માંડ્યા જિલ્લાના બુકાનાકેરમાં 27 ફેબ્રુઆરી 1943એ લિંગાયત પરિવારમાં થયો હતો, તેઓ ફક્ત 15 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થયા હતા. 1970માં તેઓ શિકારીપુરા તાલુકાથી જનસંઘના પ્રમુખ બન્યા.વર્તમાનમાં શિમોગા લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા યેદિયુરપ્પા 1983માં આ બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. આ બેઠક પરથી તેઓ પાંચ વખત ધારાસભ્ય બન્યા છે. યેદિયુરપ્પા ઇમરજન્સી દરમિયાન જેલ પણ ગયા હતા. 1965માં સામાજિક કલ્યાણ વિભાગમાં ફર્સ્ટ ક્લાસ ક્લાર્કની નોકરી છોડી યેદિયુરપ્પા નોકરી છોડી શિકારીપુરા જતા રહ્યાં જ્યાં તેઓએ વિરભદ્ર શાસ્ત્રીની શંકર ચોખા મીલમાં એક ક્લાર્કનું કામ સંભાળ્યું. બાદમાં તેમણે શિમોગામાં હાર્ડવેરની દુકાન ખોલી હતી. પોતાના કોલેજકાળમાં તેઓ RSSના નેતા રહ્યાં, 1970માં તેઓએ સામાજિક સેવા શરૂ કરી. 2008ની ચૂંટણીમાં યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપને જીત હાંસલ કરી અને દક્ષિણમાં પ્રથમવાર તેમના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી હતી. યેદિયુરપ્પા બેંગલુરુમા જમીન ફાળવણીને લઇને પોતાના દીકરાના પક્ષમાં મુખ્યમંત્રી કાર્યાલયના કથિત દુરુપયોદને લઇને વિવાદમાં ફસાયા હતા. ગેરકાયદેસર ખનન મામલામાં લોકાયુક્તે તેમના પર અભિયોગ લગાવ્યો અને 31 જૂલાઇ 2011માં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યુ હતું. આ કેસમાં તેઓ એક સપ્તાહ જેલમાં પણ રહ્યા હતા. આ ઘટનાને લઇને ભાજપથી નારાજ યેદિયુરપ્પાએ ભાજપ છોડી દીધુ અને કર્ણાટક જનતા પક્ષની રચના કરી. તેમણે 2013ની ચૂંટણીમાં છ બેઠકો અને 10 ટકા મત મેળવીને ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો. બાદમાં 9 જાન્યુઆરી 2014ના રોજ યેદિયુરપ્પાએ કેજેપી પાર્ટીનું ભાજપમાં વિલય કરાવ્યુ હતું અને બાદમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે રાજ્યમાં 17 બેઠકો પર જીત મેળવી હતી. યેદિયુરપ્પાને સીબીઆઇની ખાસ અદાલતે તેમને , તેમના બે દીકરા અને જમાઇને 40 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ખનન મામલામાં નિર્દોષ જાહેર કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
Embed widget