શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BJP સાંસદે કહ્યું- ‘બહેન-દીકરીઓ પર બળાત્કાર કરે છે શાહીનબાગવાળા, મોદી નહીં હોય તો તેઓ કાપી નાંખશે’
પ્રવેશ વર્માએ કહ્યું, ‘જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો કલાકની અંદર જ શાહીન બાગ ખાલી કરાવી દેશે.’
![BJP સાંસદે કહ્યું- ‘બહેન-દીકરીઓ પર બળાત્કાર કરે છે શાહીનબાગવાળા, મોદી નહીં હોય તો તેઓ કાપી નાંખશે’ bjp mp parvesh verma says shaheen bagh protesters will enter houses rape sisters and daughters BJP સાંસદે કહ્યું- ‘બહેન-દીકરીઓ પર બળાત્કાર કરે છે શાહીનબાગવાળા, મોદી નહીં હોય તો તેઓ કાપી નાંખશે’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28162658/parvesh-verma-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઠંડીની વચ્ચે ચૂંટણી ગરમાવો જામ્યો છે. આ ચૂંટણીમાં હવે સીએએ વિરૂદ્ધ શાહીનબાગનું પ્રદર્શન મોટો મુદ્દો બની ગયો છે. ભાજપ નેતા સતત શાહીન બાગને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે. હવે પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એવું નિવેદન આપ્યું છે જેના પર વિવાદ ઉભો થઈ ગયો છે.
પ્રવેશ વર્માનું વિવાદિત નિવેદન
પ્રવેશ વર્માએ કહ્યું કે, ‘લોકો લોકો ત્યાં (શાહીન બાગ)માં ભેગા થાય છે. દિલ્હીના લોકોએ સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. તે તમારા ઘરમાં ઘુસીને તમારી બહેન દીકરીઓ પર બળાત્કાર કરશે, તેમને મારશે. આજે સમય છે. મોદી અને અમિત શાહ કાલે તમને બચાવવા નહીં આવે.’
નિવેદન પરત નહીં ખેંચુ- પ્રવેશ વર્મા
એટલું જ નહીં પ્રવેશ વર્માએ કહ્યું, ‘જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો કલાકની અંદર જ શાહીન બાગ ખાલી કરાવી દેશે.’ તેમણે કહ્યું, ‘કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હૈદ્રાબાદમાં લાગેલ આગ ટૂંકમાં જ દિલ્હીના લોકોના ઘરમાં આવી શકે છે.’ પ્રવેશ વર્માને જ્યારે તેમના આ નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘હું મારું નિવેદન પરત નહીં ખેંચુ. મં જે કહ્યું છે તે સાચું કહ્યું છે.’
જ્યારે પ્રવેશને જ્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરના ગોળીવાળા નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘અનુરાગ ઠાકુરે જે કહ્યું તે સાચું કહ્યું છે.’
ઠાકુરે ભીડને વિવાદિત નારા લગાવ કહ્યું હતું. નાણાં રાજ્યમંત્રી ઠાકુરે કહ્યું, ‘દેશના ગદ્દારોને’, જેના પર ભીડમાંથી કહ્યું, ‘ગોલી મારો સ***કો’. ઠાકુરે ભીડને એટલા મોટા અવાજથી નારા લગાવવા કહ્યું કે, તેનો અવાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સાંભળી શકે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)