શોધખોળ કરો

‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ

TMC Supreme Court appeal: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મતદાર યાદીમાંથી લાખો લોકોના નામ કમી કરવાના મુદ્દે TMC એ સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક તપાસની માંગ કરી છે. કોર્ટે TMC ને વચગાળાની અરજી દાખલ કરવા જણાવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લાખો મતદારોના નામ કમી થતાં TMC સુપ્રીમ કોર્ટ પહોંચી.
  • 31 બેઠકો પર જીત-હારનું માર્જિન નામ કમી થયેલા મતદારોથી ઓછું.
  • 32 લાખ મતોના અંતર સામે 35 લાખ મતદારો મતદાનથી વંચિત.
  • સુપ્રીમ કોર્ટે યોગ્ય અરજી સાથે હસ્તક્ષેપની ખાતરી આપી.

TMC Supreme Court appeal: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાંથી લાખો લોકોના નામ કમી કરવાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમ કોર્ટના શરણે પહોંચી છે. TMC નો દાવો છે કે 31 જેટલી વિધાનસભા બેઠકો પર હાર-જીતનું અંતર મતદાર યાદીમાંથી રદ કરાયેલા લોકોની સંખ્યા કરતાં ઘણું ઓછું છે. પાર્ટીનું કહેવું છે કે બંગાળમાં ભાજપ કુલ 32 લાખ મતોના માર્જિનથી જીત્યું છે, જ્યારે 35 લાખ લોકોના મતો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ બાકાત રાખવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાની ખાતરી આપી છે અને TMC ને યોગ્ય અરજી દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.

TMC ની સુપ્રીમ કોર્ટમાં દલીલો

સોમવારે (11 મે, 2026) સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન TMC વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનરજીએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, બંગાળમાં 31 સીટો એવી છે જ્યાં હાર-જીતનું માર્જિન SIR પ્રક્રિયામાં રદ થયેલા મતો કરતાં ઓછું છે. આ 35 લાખ મતદારોની અપીલ હજુ પણ એપેલેટ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે અને તેમને ચૂંટણીમાં મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. આ અગાઉની સુનાવણીમાં જસ્ટિસ જોયમલ્યા બાગચીએ ટિપ્પણી કરી હતી કે જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો કોર્ટ ચોક્કસ દખલ કરશે, જે વાતની કલ્યાણ બેનરજીએ કોર્ટને યાદ અપાવી હતી.

હાર-જીતનું માર્જિન અને રદ થયેલા મતોના ચોંકાવનારા આંકડા

કોર્ટમાં આંકડા રજૂ કરતા બેનરજીએ જણાવ્યું કે, એક વિધાનસભા સીટ પર TMC ના ઉમેદવાર માત્ર 863 મતોથી હારી ગયા હતા. જ્યારે આ જ વિસ્તારમાં 5,432 લોકોના નામ મતદાર યાદીમાંથી રદ કરાયા હતા અને તેમની અપીલો હજુ પણ ટ્રિબ્યુનલમાં પડતર છે. એકંદરે, આખી ચૂંટણીમાં TMC અને ભાજપ વચ્ચે હાર-જીતનું અંતર લગભગ 32 લાખ મતોનું (3.2 મિલિયન) હતું, જ્યારે 35 લાખ (3.5 મિલિયન) જેટલા મતદારો મતદાન કરવાથી વંચિત રહ્યા હતા. આથી, આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે આ દલીલો સાંભળ્યા બાદ કલ્યાણ બેનરજીને તમામ વિગતો સાથે એક વચગાળાની અરજી (Interim Application) દાખલ કરવા જણાવ્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, "જો તમે કહી રહ્યા છો કે મતદાર યાદીમાંથી નામ હટાવવાના કારણે ચૂંટણી પરિણામોને અસર થઈ છે, તો તમારે તેના માટે યોગ્ય અરજી દાખલ કરવી પડશે." CJI સૂર્યકાંતે એમ પણ કહ્યું કે અત્યારે અમે એ જોવા માંગીએ છીએ કે ટ્રિબ્યુનલ પોતાનું કામ ઝડપથી પૂરું કરે.

ટ્રિબ્યુનલની ધીમી ગતિ અને ચૂંટણી પંચનો વાંધો

સુનાવણી દરમિયાન TMC ના અન્ય વકીલ મેનકા ગુરુસ્વામીએ ધ્યાન દોર્યું કે ટ્રિબ્યુનલને આ બધી અપીલોનો નિકાલ કરતા 4 વર્ષ લાગી જશે, અને ત્યાં સુધીમાં તો બીજી ઘણી ચૂંટણીઓ યોજાઈ ગઈ હશે. સામે પક્ષે ચૂંટણી પંચના વકીલ દામા શેષાદ્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે, જો કોઈ બેઠકના પરિણામ સામે વાંધો હોય તો હાઈકોર્ટમાં ચૂંટણી અરજી (Election Petition) દાખલ કરવી જોઈએ. આ સાંભળીને કલ્યાણ બેનરજીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી કે તેઓ એવો આદેશ આપે કે SIR માંથી નામ હટાવવાને ચૂંટણી અરજીનો આધાર ગણી શકાય. જોકે, CJI સૂર્યકાંતે વળતો પ્રશ્ન કરતા કહ્યું કે, "અમે આવો આદેશ કેવી રીતે આપી શકીએ?"

શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મતદાર યાદીમાંથી નામ કપાવા મામલે TMC શા માટે સુપ્રીમ કોર્ટ ગયું?

TMC નો દાવો છે કે મતદાર યાદીમાંથી લાખો લોકોના નામ કમી કરાયા છે, જેનાથી ચૂંટણી પરિણામો પર અસર થઈ છે. પાર્ટી માને છે કે 31 બેઠકો પર હાર-જીતનું અંતર કપાવાયા મતદારોની સંખ્યા કરતાં ઓછું હતું.

TMC એ સુપ્રીમ કોર્ટમાં કયા આંકડા રજૂ કર્યા?

TMC એ જણાવ્યું કે 32 લાખ મતોના માર્જિનથી ભાજપ જીત્યું, જ્યારે 35 લાખ મતદારોના નામ SIR હેઠળ બાકાત રખાયા હતા. એક બેઠક પર TMC માત્ર 863 મતોથી હારી, જ્યારે 5,432 નામો કપાવાયા હતા.

સુપ્રીમ કોર્ટે TMC ની અરજી અંગે શું નિર્દેશ આપ્યો?

સુપ્રીમ કોર્ટે TMC ને મતદાર યાદીમાંથી નામ હટાવવાથી ચૂંટણી પરિણામો પર થયેલી અસર અંગે તમામ વિગતો સાથે એક વચગાળાની અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ટ્રિબ્યુનલની ધીમી કાર્યવાહી અંગે TMC એ શું ચિંતા વ્યક્ત કરી?

TMC એ ચિંતા વ્યક્ત કરી કે ટ્રિબ્યુનલને અપીલોનો નિકાલ કરવામાં 4 વર્ષ લાગી શકે છે, ત્યાં સુધીમાં બીજી ઘણી ચૂંટણીઓ યોજાઈ ગઈ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
Embed widget