![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Breaking News Live: સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે: રાહુલ ગાંધી
Breaking News Live Updates 16th March' 23: દેશ-વિદેશના સમાચાર સૌથી પહેલા જાણવા માટે, બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.
LIVE
![Breaking News Live: સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે: રાહુલ ગાંધી Breaking News Live: સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે: રાહુલ ગાંધી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/7a44046b7895661236ff30f484d3f265167893953978375_original.jpg)
Background
Breaking News Live Updates 16th March' 23: તેલંગાણામાં BRS BJP પોસ્ટર વોર ચાલુ છે. EDની MLC કવિતાની પૂછપરછ પહેલા હૈદરાબાદમાં હવે પોસ્ટર સામે આવ્યા છે. પોસ્ટરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષને ગુનેગાર અને 'વોન્ટેડ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. હૈદરાબાદમાં બે અલગ અલગ જગ્યાએ પોસ્ટર જોવા મળ્યા હતા.
બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું...
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું, અમે બે જૂના દેશ છીએ, ભારત અને યુનાઈટેડ કિંગડમ. 71 વર્ષમાં પહેલીવાર હવે આપણી પાસે રાજા છે. તે ભારતને પ્રેમ કરે છે અને તેના પ્રત્યે ઉત્સાહી છે. રાજા ઘણી વખત ભારત આવ્યા છે. મને લાગે છે કે રાજા ખરેખર ભારતને જાણે છે અને પ્રેમ કરે છે.
તેમણે કહ્યું, આપણા વડાપ્રધાન છે જેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાના ઘરની બહાર રંગોળી બનાવી છે. હું ભારત અને યુકે વચ્ચેના ગાઢ સંબંધોમાં મોટી તક જોઉં છું અને મને ખાતરી છે કે રાજા અને વડાપ્રધાનને તે ગમશે.
અદાણીની તપાસ પર વિપક્ષ અડગ છે
અદાણી ગ્રૂપની તપાસના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોએ તેમની ગતિવિધિઓ તેજ કરી છે. વિપક્ષી પાર્ટી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પર વિચાર કરી રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુને ક્યારે મળશે તે અંગે વિરોધ પક્ષો આજે (16 માર્ચ)ની બેઠકમાં ચર્ચા કરી શકે છે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે તેમના ડેસ્ક પરનું માઈક છેલ્લા ત્રણ દિવસથી બંધ છે, જે રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે કે ભારતમાં વિપક્ષી સભ્યોના માઈક બંધ છે.
દિલ્હીની ફેક્ટરીમાં આગ
દિલ્હીના વજીરપુરના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસમાં ઓફિસર શર્માએ કહ્યું, "અમારી પાસે 12 વાહનો છે. અહીં મેટલ અને પ્લાસ્ટિકનું કામ કરવામાં આવે છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી."
સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લંડનમાં આપેલ નિવેદનથી હંગામો મચી ગયો છે. ભાજપ તેમની પાસેથી માફી માંગવા પર અડગ છે. આ નિવેદનને લઈને સંસદના બંને ગૃહોમાં હોબાળો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ મામલે પીસી કરી રહ્ય છે. તેમણે કહ્યું કે સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે તેથી તેમણે આ 'તમાશો' કર્યો છે. અદાણી વિશે સંસદમાં મારા છેલ્લા ભાષણમાં પૂછાયેલા પ્રશ્નોનો વડાપ્રધાને હજુ સુધી જવાબ આપ્યો નથી. મને લાગે છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે મોદીજી અને અદાણીજી વચ્ચે શું સંબંધ છે. સરકાર અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માંગે છે. આ પહેલા ગુરુવારે સંસદમાં જતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે ભારત વિરોધી કંઈ કહ્યું નથી.
Murder: નડિયાદમાં જાહેરમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો
નડિયાદઃ નડિયાદમાં જાહેરમાં પત્નીની હત્યાર કરનાર આરોપી પતિની ધરપકડ કરાઇ હતી. મળતી જાણકારી અનુસાર, નડિયાદમાં નવરંગ ટાઉનશિપમાં એક નંબરના મકાનમાં રહેતા નિમિષાબેનની તેમના જ પતિ રસિકભાઈએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મિલકત બાબતમાં પતિ પત્નીને કોર્ટમાં કેસ ચાલતો હતો. હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હત્યારા રસિકને સરદાર ભવન પાસેથી દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક રાઉંડ ફાયરિંગ કરી પત્ની નિમિષાની હત્યા કરી હતી. એટલું જ નહીં, જમીન પર ઢળી પડેલી પત્ની પર પોતાનું એક્ટિવા પણ ફેરવી દીધું હતું. રસિક પરમારના નિમિષાબહેન સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીના ઘરે જઈ તેઓ પૈસા આપતા જેને લઈ નિમિષાબહેન સાથે ઘરમાં ઝઘડા થતાં હતા. આરોપી રસિક પરમાર નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર છે. નિમિષાબહેનના મોત બાદ તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. તો પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી રસિકને ઝડપી પાડ્યો હતો.
નોંધનીય છે કે નિમિષાબેન પરમારે તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. જો કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.
મૃતક
નસવાડીમાં દૂધ સંજીવની યોજનાનો સત્યનાશ, શાળાના ઓટલા પર દૂધના કેરેટમાંથી ભૂંડ દૂધ પીતા હોવાનો વીડિયો થયો વાયરલ
નસવાડી કુમારશાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ ભૂંડો પિતા હોવાના વીડિઓ આવ્યા સામે આવ્યો છે. શાળાના ઓટલા ઉપર દૂધના કરેટમાંથી ભૂંડો દૂધ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગત 14 તારીખના બનાવનો હાલ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી બાળકોના પોષણ માટે આદિજાતિ વિભાગ દ્વારા શાળાઓમાં દૂધ અપાય છે.
છોટાઉદેપુરથી દૂધ સંજીવની યોજનાના સત્યાનાશની વધુ તસ્વીરો સામે આવી છે. બોડેલી તાલુકાના વાલોઠી શાળાની બહાર કૂતરા દૂધ પી રહ્યા છે. શાળા કંપાઉન્ડમાં કાર્યરત અંગણવાડીના બાળકોનું દૂધ કૂતરા પી રહ્યા છે. નસવાડીની કુમાર શાળામાં ભૂંડો દૂધ પિતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા..
Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ રહશે વરસાદી માહોલ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે
Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહશે.
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા સપ્તાહે જોવા મળશે.
Cheetah Helicopter Crash: અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ
Indian Army Cheetah Helicopter: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. તેમાં માત્ર પાઈલટ અને કો-પાઈલટ હતા.
ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)