શોધખોળ કરો

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય

PMGKAY: કેન્દ્રીય પ્રધાન અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય સુરક્ષા વધારવાનો છે. બુધવારે મોદી કેબિનેટે ઘણી યોજનાઓને મંજૂરી આપી હતી.

PMGKAY: કેન્દ્ર સરકારે બુધવારે (9 ઓક્ટોબર 2024) ઘણી યોજનાઓને લીલી ઝંડી આપી દીધી છે. કેબિનેટે જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે તેનો સમગ્ર ખર્ચ 17,082 કરોડ રૂપિયા હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને પોષણ સુરક્ષા વધારવાનો છે.

 

ગરીબોને મફતમાં ચોખા મળશે

એપ્રિલ 2022 માં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્ચ 2024 સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં ચોખાની ફ્રોર્ટિફિકેશન પહેલને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં તેને ત્રણ તબક્કામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે.

મોદી કેબિનેટે પણ આ યોજનાઓને મંજૂરી આપી

કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રસ્તાઓને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવશે, જેના માટે 4,406 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે.

2019 અને 2021 ની વચ્ચે હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, એનિમિયા ભારતમાં એક મોટી સમસ્યા છે, જે બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને અસર કરે છે. કેન્દ્ર સરકાર આ યોજના એવા સમયે લાવી છે જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે.

મહારાષ્ટ્રમાં પણ આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. બુધવારે જ પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમથી રૂ. 7,600 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ પણ વાંચો...

રાજ્યમાં 17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠકRajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્તSurat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટનાHaryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Joe Root: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો તૂટશે રેકોર્ડ, સચિનના રેકોર્ડની નજીક પહોંચ્યો આ અંગ્રેજ ખેલાડી
Joe Root: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો તૂટશે રેકોર્ડ, સચિનના રેકોર્ડની નજીક પહોંચ્યો આ અંગ્રેજ ખેલાડી
રાજ્યમાં  17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Taxi Project: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી ટેક્સી, જાણો AI સાથે કેવી રીતે કરશે કામ?
Taxi Project: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી ટેક્સી, જાણો AI સાથે કેવી રીતે કરશે કામ?
Embed widget