શોધખોળ કરો

દિલ્હીમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધવાની છે, આ એક રિપોર્ટ આવતા જ AAP સરકારના ભ્રષ્ટાચારનો.....

કેજરીવાલ સરકારના 'ભ્રષ્ટાચાર'નો થશે પર્દાફાશ, 14 પેન્ડિંગ રિપોર્ટ થશે રજૂ.

Arvind Kejriwal corruption: દિલ્હી વિધાનસભામાં સોમવારથી શરૂ થનારા પ્રથમ સત્રમાં પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) સરકારના કાર્યકાળ દરમિયાનના 14 પેન્ડિંગ CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટ રજૂ થતાં જ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.

વિધાનસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, સત્ર 24, 25 અને 27 ફેબ્રુઆરીએ યોજાશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો 24-25 ફેબ્રુઆરીએ શપથ લેશે અને શિવરાત્રિની રજા બાદ 27 ફેબ્રુઆરીએ BJP સરકાર CAG રિપોર્ટ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે BJP દ્વારા અગાઉ AAP સરકાર પર CAG રિપોર્ટ રોકી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પાર્ટીએ આ મુદ્દે કોર્ટનો પણ સહારો લીધો હતો. હવે નવી BJP સરકાર પાસે વિધાનસભામાં 48 ધારાસભ્યોનું બહુમત છે, જ્યારે વિપક્ષ AAP પાસે 22 ધારાસભ્યો છે.

દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવા મુદ્દે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ભાજપના નેતાઓ લાંબા સમયથી AAP સરકાર પાસે દિલ્હી એક્સાઇઝ પોલિસી, દિલ્હી જલ બોર્ડ સહિત ઘણા વિભાગો સાથે સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી રહ્યા છે. જાન્યુઆરી 2025માં કેજરીવાલ સરકારના કાર્યકાળના છેલ્લા વિધાનસભા સત્ર દરમિયાન પણ ભાજપે આ અંગે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ભાજપના નેતાઓનો આરોપ છે કે AAP સરકાર CAG રિપોર્ટ રજૂ ન કરીને છેલ્લા 10 વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માંગે છે.

વિધાનસભા સચિવાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, તેથી CAG રિપોર્ટ રજૂ કરવાની કોઈ જરૂર નથી. દિલ્હી સરકાર વતી હાઈકોર્ટમાં હાજર રહેલા વકીલે કોર્ટને કહ્યું હતું કે વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવાની કોઈ ઉતાવળ નથી.

અરજદાર બીજેપી ધારાસભ્યો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે કોર્ટ સ્પીકરને વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્દેશ આપી શકે છે. તે સમયે કોર્ટે એ પણ પૂછ્યું હતું કે શું હાઈકોર્ટ પોતાના વતી વિધાનસભા અધ્યક્ષને વિશેષ સત્ર બોલાવવાનો નિર્દેશ આપી શકે છે.

CAG રિપોર્ટ સરકાર અને જનતા માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ રિપોર્ટ જણાવે છે કે સરકારના પૈસાનો યોગ્ય રીતે ખર્ચ થયો છે કે નહીં. જેમાં સરકારી વિભાગો, યોજનાઓ અને પ્રોજેક્ટમાં થયેલા ખર્ચની તપાસ કરવામાં આવે છે. જો કોઈ કૌભાંડ કે અનિયમિતતા હોય તો કેગનો રિપોર્ટ તેનો પર્દાફાશ કરે છે. અગાઉના અહેવાલોમાં, દિલ્હીમાં ઘણી યોજનાઓમાં ગેરરીતિના સંકેતો મળ્યા હતા, જેના પર ઘણી રાજકીય ચર્ચા થઈ હતી.

નવા મુખ્યમંત્રી રેખા શર્માએ સત્તા સંભાળતાની સાથે જ જનહિતના નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. 27 વર્ષ બાદ સત્તામાં આવેલી BJP સરકાર કેજરીવાલ અને તેમની સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો....

શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Advertisement

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
Bangladesh fighter jet crash:  ઢાકામાં એરફોર્સના પ્લેન ક્રેશમાં 19 લોકોના મોત, 160 ઈજાગ્રસ્ત 
Bangladesh fighter jet crash: ઢાકામાં એરફોર્સના પ્લેન ક્રેશમાં 19 લોકોના મોત, 160 ઈજાગ્રસ્ત 
Embed widget