શોધખોળ કરો

શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ

નવા મુખ્યમંત્રીની મોટી જાહેરાત, ચૂંટણીમાં ‘શીશ મહેલ’ મુદ્દો બન્યા બાદ લેવાયો નિર્ણય.

Delhi new CM Rekha Gupta: દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાન ‘શીશ મહેલ’ને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવશે. શાલીમાર બાગના ધારાસભ્ય અને નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ‘શીશ મહેલ’ને મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેથી લોકો આ સ્થળની વાસ્તવિકતા જાણી શકે. ઉલ્લેખનીય છે કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ‘શીશ મહેલ’ એક મોટો રાજકીય મુદ્દો બન્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ AAP અને અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી રેલીઓમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.

રાજકીય વિશ્લેષકો માને છે કે ‘શીશ મહેલ’નો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની હારનું એક કારણ બન્યું. હવે, મુખ્યમંત્રી બન્યા બાદ રેખા ગુપ્તાએ ફરી એકવાર આ મુદ્દાને જીવંત રાખ્યો છે અને તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

જાણો, દિલ્હીના મુખ્યમંત્રી નિવાસ ‘શીશ મહેલ’ કેવી રીતે બનશે મ્યુઝિયમ:

સરકારી મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની પ્રક્રિયા એક નિયત પ્રક્રિયા છે. કોઈપણ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર પાસે સરકારી મકાનને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાનો અધિકાર છે. આ પ્રકારના નિર્ણયો લેવાની અંતિમ સત્તા સંસ્કૃતિ મંત્રાલય, શહેરી વિકાસ વિભાગ, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર પાસે હોય છે.

જો કોઈ સરકાર કોઈ સરકારી સ્થળને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવા માંગતી હોય, તો સૌપ્રથમ દરખાસ્ત કેબિનેટ અથવા સંબંધિત મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવે છે. મંજૂરી મળ્યા બાદ, મકાનની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં, મકાનને મ્યુઝિયમ બનાવવા માટે તેની મૂળ સ્થિતિ જાળવવી કે જરૂરી ફેરફારો કરવા, તે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ, મ્યુઝિયમનો આકાર આપવા માટે મકાનનું નવીનીકરણ કરવામાં આવે છે.

મ્યુઝિયમ બનાવવાની પ્રક્રિયામાં ઘણા ફેરફારો અને વ્યવસ્થાપન જરૂરી છે. મકાન સાથે જોડાયેલા તમામ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો એકત્રિત કરવામાં આવે છે, જેથી મુલાકાતીઓને તેના વિશે અધિકૃત માહિતી મળી રહે. મ્યુઝિયમની વ્યવસ્થા જેમ કે ટિકિટ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, જાળવણી અને મુલાકાતીઓ માટે માર્ગદર્શિકાઓ વગેરે તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રહેણાંક મકાનને સત્તાવાર રીતે મ્યુઝિયમ જાહેર કરવામાં આવે છે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, BJP સરકાર ‘શીશ મહેલ’ને મ્યુઝિયમમાં ફેરવીને એક રાજકીય સંદેશ આપવા માંગે છે. જ્યારે પણ લોકો આ મ્યુઝિયમને જોવા આવશે, ત્યારે તેમના મનમાં AAP અને અરવિંદ કેજરીવાલની એ જ છબી ઊભી થશે જે BJPએ ચૂંટણી પ્રચાર દરમિયાન રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ, રાજકીય રીતે પણ આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો....

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલના એંધાણ! ફડણવીસે અચાનક શિંદે જૂથના 20 ધારાસભ્યોની....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Embed widget