શોધખોળ કરો

Chandrayaan-3 ની લેન્ડિંગને લઇને પાકિસ્તાનીઓ ખુશ, કહેવા લાગ્યા 'અલ્લાહ કરે તે......', જુઓ Video

ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને પાકિસ્તાની લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે અલ્લાહ ભારતનું ચંદ્રયાન-3 સુરક્ષિત રીતે જમીન પર લેન્ડ કરી શકે

Pakistan On Chandrayaan-3: રશિયાના લૂના-25 મૂન મિશનની નિષ્ફળતા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર છે. ઈસરોએ જણાવ્યું છે કે, ભારતનું ચંદ્રયાન-3 શુક્રવારે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. હાલમાં ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટીથી 25 કિલોમીટરના અંતરે છે. દરમિયાન પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરી ત્યાં લોકોની વચ્ચે ગયો અને ચંદ્રયાન-3ના ઉતરાણ અંગે તેમની પ્રતિક્રિયા જાણવા માંગતો હતો.

ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને પાકિસ્તાની લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે અલ્લાહ ભારતનું ચંદ્રયાન-3 સુરક્ષિત રીતે જમીન પર લેન્ડ કરી શકે, તેને આ મહત્વાકાંક્ષી પ્રૉજેક્ટમાં સફળતા મળે. વળી, અન્ય એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે, આ સમયે સમગ્ર વિશ્વ ટેક્નોલૉજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ત્યાં આપણે ફક્ત જોઈ શકીએ છીએ. અમે કંઈ કરી શકતા નથી.

પાકિસ્તાની નેતની પાસે વિઝન નથી - 
પાકિસ્તાની વ્યક્તિ પોતાના જ દેશની ટીકા કરતો જોવા મળ્યો હતો. કહ્યું- અમે માત્ર બીજા દેશોની નિષ્ફળતાનો જશ્ન મનાવીએ છીએ અને પોતે કંઈ કરતા નથી. બીજા દેશના લોકો આપણા પર હસે છે. તેઓ જાણે છે કે આપણે કંઈ કરી શકતા નથી.

પાકિસ્તાની વ્યક્તિએ રશિયાના ચંદ્ર મિશનની નિષ્ફળતા પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ ભારતના ચંદ્રયાન-3ની સફળતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, અન્ય એક વ્યક્તિએ કહ્યું- આપણા દેશના નેતા પાસે કોઈ પ્રકારની વિઝન નથી.

ચંદ્રની ધરતી સાથે ટકરાયુ લૂના-25 
રશિયાનું લૂના-25 મૂન મિશન 20 ઓગસ્ટે ટકરાયું હતું, જેના કારણે તેમનું મિશન નિષ્ફળ ગયું હતું. આ જાણકારી રશિયન સ્પેસ એજન્સી રોસકૉસમૉસ દ્વારા આપવામાં આવી છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું ચંદ્ર મિશન લૉન્ચ કર્યું છે. તેના પર રશિયન સ્પેસ એજન્સીનું કહેવું છે કે લેન્ડર ભ્રમણકક્ષાને યોગ્ય રીતે બદલી શક્યું નથી. આ કારણે તે બીજી ભ્રમણકક્ષામાં ગયો અને ચંદ્રની સપાટી સાથે અથડાઈ ગયો.

મિશન ચંદ્રયાન-3 નિષ્ફળ જશે તો શું છે ઈસરોની તૈયારી?

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં ઈસરો સ્પેસક્રાફ્ટને ફરીથી કંટ્રોલ કરીને પૃથ્વી પર પાછા લાવવાનો પ્રયાસ કરશે. તેના અલ્ગોરિધમ અને ટાઈમિંગમાં પણ ફેરફાર થઈ શકે છે. આ કારણે આ ચંદ્રયાન અવકાશમાં ખોવાઈ જશે અથવા તો તે પૃથ્વી કે ચંદ્ર પર તૂટી પડશે.

ઈસરોના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે જો ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરી ન શકે તો મિશન મૂનને નિષ્ફળ જાહેર કરવામાં આવશે કારણ કે તેને ચંદ્ર પર પાછા મોકલવા માટે પૂરતું બળતણ નથી. તેમણે કહ્યું કે બીજી સમસ્યા એ પણ હશે કે અવકાશના રેડિયેશન વાતાવરણમાં આટલો સમય વિતાવવાને કારણે ચંદ્રયાન-3ના પાર્ટ્સ કામ કરવાનું બંધ કરી શકે છે અને બગડી પણ શકે છે. જો ચંદ્રયાન-3ના લેન્ડરને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.30 થી 6.30 વાગ્યાની વચ્ચે લેન્ડિંગ માટે યોગ્ય સ્થાન ન મળે તો લેન્ડિંગ મોકૂફ રહી શકે છે. આ એક પ્રકારનો બેકઅપ પ્લાન છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો દરેક વૈજ્ઞાનિક તેના મિશન માટે પ્લાન B બનાવે છે. ઈસરોએ પણ આવું જ કર્યું છે.

ISROનું એક કેન્દ્ર અમદાવાદ, ગુજરાતમાં છે. તેનું નામ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) છે. તેના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે લેન્ડિંગના બે કલાક પહેલા 23 ઓગસ્ટ, 2023ના રોજ ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિકો નક્કી કરશે કે લેન્ડિંગ કરવું જોઈએ કે નહીં. દેસાઈએ કહ્યું કે આમાં અમે જોઈશું કે અમને ઉતરાણ માટે યોગ્ય જગ્યા મળી કે નહીં. કેવી છે લેન્ડરની સ્થિતિ? ઉપરાંત, ચંદ્રના વાતાવરણ અને સપાટીની સ્થિતિ શું છે. શું તે ઉતરાણ માટે યોગ્ય છે? જો કોઈ ખામી લાગશે તો અથવા આશંકા ઊભી થાય છે તો ચંદ્રયાન-3નું લેન્ડિંગ 27 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે. જો કોઈ સમસ્યા નથી તો લેન્ડિંગ 23 ઓગસ્ટે કરવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Embed widget