શોધખોળ કરો

Chandrayaan-3: કેમ ચંંદ્રયાનને કાપવા પડે છે પૃથ્વીના ચક્કર? શા માટે સીધું ચંદ્ર પર નથી મોકલાતું?

એક અઠવાડિયામાં. તો શા માટે કોઈ અવકાશયાન સીધુ જ ગ્રહ પર નથી મોકલવામાં આવતું? કેમ તેને પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવામાં આવે છે?

Mission Moon : પૃથ્વીથી ચંદ્ર સામે જ દેખાય છે. જો કે, પૃથ્વીથી તેનું અંતર 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર માત્ર ચાર દિવસમાં પૂર્ણ કરી શકાય છે. અથવા એક અઠવાડિયામાં. તો શા માટે કોઈ અવકાશયાન સીધુ જ ગ્રહ પર નથી મોકલવામાં આવતું? કેમ તેને પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવામાં આવે છે?

નાસાનું યાન માત્ર ચાર દિવસથી એક અઠવાડિયામાં ચંદ્ર પર પહોંચી જાય છે. તો ISRO આવું કેમ નથી કરતું? ISRO ચાર દિવસને બદલે 40-42 દિવસ કેમ લે છે? શું આની પાછળ કોઈ ચોક્કસ કારણ છે? કારણ બે છે. પહેલું તો અવકાશયાનને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરીને ઊંડા અવકાશમાં મોકલવાની પ્રક્રિયા સસ્તી પડે છે.

એવું નથી કે ઈસરો પોતાનું વાહન સીધું જ ચંદ્ર પર ના મોકલી શકે. પરંતુ ISROના પ્રોજેક્ટ નાસા કરતા આર્થિક રીતે સસ્તા છે. અને હેતુ પણ પૂરો થઈ જાય છે. ISRO પાસે નાસા જેવા મોટા અને શક્તિશાળી રોકેટ નથી. જે ચંદ્રયાનને સીધા ચંદ્રની સીધી ભ્રમણકક્ષામાં મૂકી શકે છે. આવા રોકેટ બનાવવા માટે હજારો કરોડ રૂપિયાની જરૂર પડશે.

ISROનું મિશન બાકીના વિશ્વ કરતાં ખુબ જ લાભદાયક

2010માં ચીને ચાંગઈ-2 મિશન ચંદ્ર પર મોકલ્યું હતું. તે ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી ગયું હતું. ચાંગઈ-3 પણ પહોંચી ગયું હતું. સોવિયત યુનિયનનું પ્રથમ ચંદ્ર મિશન લુના-1 માત્ર 36 કલાકમાં ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. તો અમેરિકાનું એપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ ત્રણ અવકાશયાત્રીઓ સાથે ચાર દિવસથી થોડા જ વધુ સમયમાં પહોંચી ગયું હતું.

આ અવકાશયાન માટે ચીન, અમેરિકા અને સોવિયત સંઘે મોટા રોકેટનો ઉપયોગ કર્યો હતો. ચીને ચાંગ ઝેંગ 3સી રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ મિશનનો ખર્ચ 1026 કરોડ રૂપિયા હતો. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની લોન્ચિંગ કિંમત 550 કરોડથી 1000 કરોડ સુધીની છે. જ્યારે ઈસરોના રોકેટની લોન્ચિંગની કિંમત માત્ર 150 થી 450 કરોડની વચ્ચે છે.

અવકાશયાનમાં મર્યાદિત માત્રામાં બળતણ હોય છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પડે છે. તેથી જ તેઓ તેને સીધુ અન્ય કોઈ ગ્રહ પર મોકલતા નથી. કારણ કે, આમ કરવાથી તેમાં રહેલુ તમામ ઈંધણ ખતમ થઈ જશે. જેથી તે પોતાનું મિશન પૂરું કરી શકશે નહીં. તેથી જ પૃથ્વીની આસપાસ ફરતી વખતે વાહનને ઓછું બળતણ વાપરીને આગળ ધકેલવામાં આવે છે.

રોકેટ પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ ઉઠાવે છે

રોકેટને દૂર અવકાશમાં મોકલવા માટે જરૂરી છે કે તેને પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ મળવો જોઈએ. તે આ રીતે સમજી શકાય છે. જ્યારે તમે ચાલતી બસ અથવા ધીમી ટ્રેનમાંથી ઉતરો છો, ત્યારે તમે તેની ગતિની દિશામાં ઉતરો છો. આમ કરવાથી તમારા પડવાની શક્યતા 50 ટકા ઘટી જાય છે. એ જ રીતે જો તમે રોકેટને સીધું જ અવકાશ તરફ ધકેલો છો તો પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ તમને ઝડપથી ખેંચશે.

પૃથ્વીની દિશામાં તેની ગતિ સાથે સુમેળમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાથી ગુરુત્વાકર્ષણ ખેંચાણ ઓછું થાય છે. આ સ્થિતિમાં પૃથ્વી પર રોકેટ કે અવકાશયાન પડવાનું જોખમ ઘટી જાય છે. પૃથ્વી તેની ધરી પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. રોકેટ કે અવકાશયાનને આનો લાભ મળે છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને વારંવાર ભ્રમણકક્ષા કરે છે. એટલે કે તેનો કક્ષા બદલી નાખે છે.

કક્ષા બદલવામાં સમય લાગે છે. માટે ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં 42 દિવસનો સમય લાગી રહ્યો છે. કારણ કે, ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ પાંચ ચક્કર મારવાના છે. પછી લાંબા અંતરની ચંદ્ર પરિવહન ભ્રમણકક્ષામાં મુસાફરી કરવી પડશે. ત્યાર બાદ તે ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષા બદલશે. ઈસરોએ અત્યાર સુધીમાં બે વખત ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બદલી છે. પહેલી વાર તેને 36,500 થી 41,603 હજાર કિલોમીટર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. એટલે કે અર્થ એપોજી બદલી. ત્યાર બાદ બીજી વખત અંતર 173 કિમીથી બદલીને 226 કિમી કરવામાં આવ્યું હતું. તે પેરીજી છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Embed widget