શોધખોળ કરો

કેન્દ્ર બાદ આ રાજ્ય સરકારે નવી પેન્શન સ્કીમને આપી મંજૂરી, સરકારી કર્મચારીઓને પેન્શનમાં મળશે અડધો પગાર

Unified Pension Scheme in Maharashtra: કેન્દ્ર પછી હવે મહારાષ્ટ્ર કેબિનેટે UPSને મંજૂરી આપી દીધી છે. કર્મચારીઓ પાસે NPS અને UPS માંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હશે.

Unified Pension Scheme in Maharashtra: કેન્દ્રીય કેબિનેટે શનિવારે નવી પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપી હતી. તેના પછી હવે રાજ્યો પણ આ પેન્શન યોજનાને અપનાવવામાં આગળ આવી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્ર કેબિનેટે પણ આ પેન્શન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનામાં સરકારી કર્મચારીઓને 50% સુનિશ્ચિત પેન્શનની જોગવાઈ છે. સાથે જ આ યોજનામાં સુનિશ્ચિત ફેમિલી પેન્શન, સુનિશ્ચિત ન્યૂનતમ પેન્શન, ફુગાવા સાથે ઇન્ડેક્સેશન અને ગ્રેચ્યુઇટી ઉપરાંત વધારાની ચુકવણી પણ સામેલ છે. આ યોજનાથી 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ થશે. રાજ્ય સરકારોના કર્મચારીઓ પણ આમાં સામેલ થાય છે, તો લગભગ 90 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.

UPSમાં કેટલું પેન્શન મળશે?

યુનિફાઈડ પેન્શન યોજનામાં નિવૃત્તિ પહેલાના 12 મહિનાની સરેરાશ બેઝિક પેનો 50 ટકા પેન્શન રકમ હશે. આ પેન્શન માટે સેવા યોગ્યતા 25 વર્ષ હશે. જે કર્મચારીઓ 25 વર્ષ સુધી સેવા આપશે, તેમને આ સુનિશ્ચિત પેન્શનનો લાભ મળશે. જ્યારે, 25 વર્ષથી ઓછી અને 10 વર્ષથી વધુ સેવા હોય, તો તે કર્મચારીઓને સેવાના પ્રમાણમાં પેન્શન મળશે.

UPSમાં કર્મચારીઓને આ પણ મળશે લાભ

યુનિફાઈડ પેન્શન યોજનામાં કોઈપણ કર્મચારીના મૃત્યુ પહેલા જે પેન્શન હતું, તેનો 60 ટકા મૃત કર્મચારીની પત્ની/પતિને મળશે.

જેમની સેવા અવધિ ઓછી છે, તેમના માટે યુનિફાઈડ પેન્શન યોજનામાં 10,000 રૂપિયા પ્રતિ માસની સુનિશ્ચિત ન્યૂનતમ પેન્શનની જોગવાઈ છે.

યુનિફાઈડ પેન્શન યોજનામાં મોંઘવારીને ધ્યાનમાં રાખવામાં આવી છે. મોંઘવારી ભથ્થાના જેવા પેટર્ન પર સુનિશ્ચિત પેન્શન, સુનિશ્ચિત ફેમિલી પેન્શન અને સુનિશ્ચિત ન્યૂનતમ પેન્શન આ ત્રણેય પર ફુગાવા ઇન્ડેક્સેશન લાગશે.

યુનિફાઈડ પેન્શન યોજનામાં નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી ઉપરાંત એકમુશ્ત ચુકવણીની જોગવાઈ છે. દરેક 6 મહિનાની સેવા માટે નિવૃત્તિની તારીખે માસિક વેતન (પગાર + DA)નો 1/10મો ભાગ મળશે.

UPSના ત્રણ પિલર

50% સુનિશ્ચિત પેન્શન યોજનાનો ફાયદો ન્યૂનતમ 25 વર્ષની સેવા પૂરી કરનાર સરકારી કર્મચારીઓ માટે છે. તેમને નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારનું 50 ટકા પેન્શન તરીકે મળશે.

પારિવારિક પેન્શન યોજના હેઠળ, પેન્શનરના પરિવારને તેમના મૃત્યુ સમયે મળેલા પેન્શનનું 60 ટકા મળશે. જ્યારે, ન્યૂનતમ 10 વર્ષની સેવા આપનાર સરકારી કર્મચારીઓ માટે, નિવૃત્તિ પછી 10,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે.

વર્તમાન પેન્શન યોજના અનુસાર, કર્મચારીઓ 10 ટકાનું યોગદાન આપે છે જ્યારે કેન્દ્ર સરકાર 14 ટકાનું યોગદાન આપે છે, જેને UPS સાથે વધારીને 18 ટકા કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ

Unified Pension Scheme: શું રાજ્યનાં કર્મચારીઓને પણ નવી પેન્શન સ્કીમ UPSનો લાભ મળશે? જાણો અશ્વિની વૈષ્ણવે શું જવાબ આપ્યો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?
Embed widget