શોધખોળ કરો

Operation Sindoor: 25 મિનિટમાં નવ કેમ્પ તબાહ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી તમામ ડિટેઇલ્સ

લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં લગભગ 900 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'સિંદૂર ઓપરેશન' નામ આપ્યું છે.

લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, "નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલું છે." કર્નલ સોફિયાએ કહ્યું હતું કે, "9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાને એક આતંકવાદી માળખાનું નિર્માણ કર્યું છે જે આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ માટે આશ્રયસ્થાન રહ્યું છે. ઉત્તરમાં સવાઈ નાલા અને દક્ષિણમાં બહાવલપુર સ્થિત તાલીમ કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા."

ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, "આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓની યોજના બનાવવામાં આવી હતી. બીજી તરફ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને 'કાયર' ગણાવ્યો છે.

ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર હતા. પ્રથમ કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેના પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી હતી.

આ બે મહિલા અધિકારીઓની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે, અને દરેક ભારતીય તેમની પ્રશંસા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આ બે અધિકારીઓ કોણ છે અને ભારતીય સેના અને ભારત સરકારે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ માટે તેમને શા માટે પસંદ કર્યા.

કર્નલ સોફિયા કુરેશીએ સૌપ્રથમ પીઓકેમાં નાશ પામેલા આતંકવાદી સંગઠનો વિશે બ્રીફિંગ આપ્યું હતું. તેમણે કહ્યું કે હુમલામાં નાશ પામેલા મુઝફ્ફરાબાદમાં સવાયનાલા કેમ્પ નિયંત્રણ રેખા (LOC) થી 30 કિમી દૂર છે. આ લશ્કર-એ-તૌયબાનું ટ્રેનિંગ સેન્ટર હતું, જ્યાંથી ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનમાર્ગ અને ગુલમર્ગ હુમલા અને હવે 22 એપ્રિલના પહલગામ હુમલાના આતંકવાદીઓએ તાલીમ લીધી હતી.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે મુઝફ્ફરાબાદના સઇદના બિલાલ કેમ્પ પણ નષ્ટ કરાયો છે જે જૈશ-એ-મોહમ્મદ માટે એક છાવણી વિસ્તાર હતો અને શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં બચવાની તાલીમનું કેન્દ્ર હતું, તે પણ નાશ પામ્યો હતો. કોટલીનો ગુલપુર કેમ્પ LoC થી 30 કિમી દૂર હતો અને લશ્કર-એ-તૌયબાનો અડ્ડો હતો. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ઓપરેશનમાં નાશ પામેલો આ કેમ્પ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સક્રિય હતો. 20 એપ્રિલ, 2023 ના રોજ પૂંછ અને 9 એપ્રિલ, 2024ના રોજ યાત્રાળુ બસ પર હુમલો કરનારા આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી.

કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સીમાથી 100 કિમી દૂર આવેલા જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર મરકઝ સુભાનલ્લાહ કેમ્પને પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ભરતી અને તાલીમનું કેન્દ્ર હતું અને ટોચના આતંકવાદીઓ પણ અહીં આવતા હતા. કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટતા કરી, 'કોઈ પણ પાકિસ્તાની લશ્કરી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો નથી. કોઇ નાગરિકને જાનહાનિના અહેવાલ છે.' આભાર, જય હિન્દ!

દરમિયાન વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગના અંતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે અમે પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો ભારતીય સેના તેનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્લીમાં પરેડ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? હવામાન વિભાગનું કાતિલ ઠંડીનું એલર્ટ
દિલ્લીમાં પરેડ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? હવામાન વિભાગનું કાતિલ ઠંડીનું એલર્ટ
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
Winter storm: અમેરિકામાં બરફના તોફાનનો કહેર, લગભગ 9000 ફ્લાઈટ્સ રદ, અનેક રાજ્યમાં ઈમરજન્સી
Winter storm: અમેરિકામાં બરફના તોફાનનો કહેર, લગભગ 9000 ફ્લાઈટ્સ રદ, અનેક રાજ્યમાં ઈમરજન્સી
U19 world cup 2026: સુપર સિક્સમાં ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન, શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા
U19 world cup 2026: સુપર સિક્સમાં ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન, શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્લીમાં પરેડ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? હવામાન વિભાગનું કાતિલ ઠંડીનું એલર્ટ
દિલ્લીમાં પરેડ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? હવામાન વિભાગનું કાતિલ ઠંડીનું એલર્ટ
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
Winter storm: અમેરિકામાં બરફના તોફાનનો કહેર, લગભગ 9000 ફ્લાઈટ્સ રદ, અનેક રાજ્યમાં ઈમરજન્સી
Winter storm: અમેરિકામાં બરફના તોફાનનો કહેર, લગભગ 9000 ફ્લાઈટ્સ રદ, અનેક રાજ્યમાં ઈમરજન્સી
U19 world cup 2026: સુપર સિક્સમાં ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન, શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા
U19 world cup 2026: સુપર સિક્સમાં ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન, શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Republic Day 2026: 26 જાન્યુઆરીના રોજ દેશભક્તિના મેસેજ મોકલવા કેવી રીતે ડાઉનલોડ કરો WhatsApp સ્ટિકર્સ
Republic Day 2026: 26 જાન્યુઆરીના રોજ દેશભક્તિના મેસેજ મોકલવા કેવી રીતે ડાઉનલોડ કરો WhatsApp સ્ટિકર્સ
WPL 2026: દિલ્હી કેપિટલ્સ સામે હાર છતાં પ્લેઓફમાં પહોંચી RCB, DCની શાનદાર વાપસી
WPL 2026: દિલ્હી કેપિટલ્સ સામે હાર છતાં પ્લેઓફમાં પહોંચી RCB, DCની શાનદાર વાપસી
Embed widget