શોધખોળ કરો

Satya Pal Malik Interview: સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કહ્યું, હું લખીને આપું છું, 2024મા મોદી સરકાર નહીં આવે

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. આ વાતચીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, "શું આ વાતચીતથી ED-CBIની ભાગદોડમાં વધારો થશે?" રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે હું લખીને આપું છું કે મોદી સરકાર હવે નહીં આવે.

જમ્મુ-કાશ્મીર અંગે શું વાત થઈ?
રાહુલ ગાંધીએ પૂછ્યું કે જ્યારે તમે (સત્યપાલ મલિક) જમ્મુ-કાશ્મીરમાં હતા ત્યારે તે ઘણો જટિલ સમય હતો. આ અંગે તમારો શું અભિપ્રાય છે? સત્યપાલ મલિકે કહ્યું કે, તમે બળ કે સેના દ્વારા જમ્મુ-કાશ્મીરને ઠીક નહીં કરી શકો. તમે અહીંના લોકોને જીતને કંઈપણ કરી શકો છો. સમસ્યાના ઉકેલ માટે પહેલા રાજ્યનો દરજ્જો પાછો આપવો જોઈએ.

તેમણે વધુમાં દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કદાચ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો એટલા માટે આપ્યો કારણ કે તેઓ વિચારતા હતા કે પોલીસ બળવો કરશે, પરંતુ પોલીસ સરકાર પ્રત્યે વફાદાર રહી છે. તેઓએ (પોલીસ) ઈદના મહિનામાં રજા પણ લીધી ન હતી. આવી સ્થિતિમાં રાજ્યનો દરજ્જો આપીને ચૂંટણી થવી જોઈએ. રાહુલ ગાંધીએ આના પર કહ્યું કે જ્યારે હું જમ્મુ-કાશ્મીર ગયો ત્યારે મને પણ લાગ્યું કે લોકો રાજ્યનો દરજ્જો છીનવી લેવાથી ખુશ નથી. સત્યપાલ મલિકે કહ્યું કે જ્યારે મેં તેમને (કેન્દ્ર સરકાર)ને રાજ્યનો દરજ્જો આપવા કહ્યું તો તેઓએ કહ્યું કે બધું બરાબર છે.

 

પુલવામા પર શું કહ્યું?
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે સત્યપાલ મલિકે કહ્યું કે, હું એમ નથી કહેતો કે તેઓએ (કેન્દ્ર સરકારે) કરાવ્યો, પરંતુ પુલવામામાં તેઓએ તેની અવગણના કરી અને પછી તેનો રાજકીય ઉપયોગ કર્યો. તે આવું એટલા માટે કહી રહ્યો છે કારણ કે તેમનું પાસે ભાષણ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વોટ આપવા જાઓ તો પુલવામાના શહીદોને યાદ કરજો.

રાહુલ ગાંધીએ આના પર કહ્યું, "જ્યારે મેં પુલવામા વિશે સાંભળ્યું, મને ખબર પડી કે શહીદ એરપોર્ટ પર આવી રહ્યા છે, ત્યારે મારા સુરક્ષાકર્મીએ મને કહ્યું કે એરપોર્ટ ન જાવ, પરંતુ મેં કહ્યું કે હું જાઉં છું." મને એરપોર્ટ પર એક રૂમમાં બંધ કરી દીધો. શહીદો આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હતા. જ્યારે હું લડીને રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે મને લાગ્યું કે આખો શો સજાવવામાં આવી રહ્યો છે." પછી સત્યપાલ મલિકે કહ્યું કે પીએમ મોદીને શ્રીનગર જવું જોઈતું હતું.

સત્યપાલ મલિકે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો એ કારણે શહીદ થયા હતા કારણ કે તેઓએ પાંચ એરક્રાફ્ટ માંગ્યા હતા. એરક્રાફ્ટ મેળવવા માટેની અરજી ચાર મહિના સુધી ગૃહ મંત્રાલયમાં અટવાયેલી રહી. ગૃહ મંત્રાલયે આ વાતને ફગાવી દીધી હતી. આ કારણોસર આ લોકો જમીન માર્ગે ગયા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાનથી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget