શોધખોળ કરો

Satya Pal Malik Interview: સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કહ્યું, હું લખીને આપું છું, 2024મા મોદી સરકાર નહીં આવે

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. આ વાતચીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, "શું આ વાતચીતથી ED-CBIની ભાગદોડમાં વધારો થશે?" રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે હું લખીને આપું છું કે મોદી સરકાર હવે નહીં આવે.

જમ્મુ-કાશ્મીર અંગે શું વાત થઈ?
રાહુલ ગાંધીએ પૂછ્યું કે જ્યારે તમે (સત્યપાલ મલિક) જમ્મુ-કાશ્મીરમાં હતા ત્યારે તે ઘણો જટિલ સમય હતો. આ અંગે તમારો શું અભિપ્રાય છે? સત્યપાલ મલિકે કહ્યું કે, તમે બળ કે સેના દ્વારા જમ્મુ-કાશ્મીરને ઠીક નહીં કરી શકો. તમે અહીંના લોકોને જીતને કંઈપણ કરી શકો છો. સમસ્યાના ઉકેલ માટે પહેલા રાજ્યનો દરજ્જો પાછો આપવો જોઈએ.

તેમણે વધુમાં દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કદાચ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો એટલા માટે આપ્યો કારણ કે તેઓ વિચારતા હતા કે પોલીસ બળવો કરશે, પરંતુ પોલીસ સરકાર પ્રત્યે વફાદાર રહી છે. તેઓએ (પોલીસ) ઈદના મહિનામાં રજા પણ લીધી ન હતી. આવી સ્થિતિમાં રાજ્યનો દરજ્જો આપીને ચૂંટણી થવી જોઈએ. રાહુલ ગાંધીએ આના પર કહ્યું કે જ્યારે હું જમ્મુ-કાશ્મીર ગયો ત્યારે મને પણ લાગ્યું કે લોકો રાજ્યનો દરજ્જો છીનવી લેવાથી ખુશ નથી. સત્યપાલ મલિકે કહ્યું કે જ્યારે મેં તેમને (કેન્દ્ર સરકાર)ને રાજ્યનો દરજ્જો આપવા કહ્યું તો તેઓએ કહ્યું કે બધું બરાબર છે.

 

પુલવામા પર શું કહ્યું?
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે સત્યપાલ મલિકે કહ્યું કે, હું એમ નથી કહેતો કે તેઓએ (કેન્દ્ર સરકારે) કરાવ્યો, પરંતુ પુલવામામાં તેઓએ તેની અવગણના કરી અને પછી તેનો રાજકીય ઉપયોગ કર્યો. તે આવું એટલા માટે કહી રહ્યો છે કારણ કે તેમનું પાસે ભાષણ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વોટ આપવા જાઓ તો પુલવામાના શહીદોને યાદ કરજો.

રાહુલ ગાંધીએ આના પર કહ્યું, "જ્યારે મેં પુલવામા વિશે સાંભળ્યું, મને ખબર પડી કે શહીદ એરપોર્ટ પર આવી રહ્યા છે, ત્યારે મારા સુરક્ષાકર્મીએ મને કહ્યું કે એરપોર્ટ ન જાવ, પરંતુ મેં કહ્યું કે હું જાઉં છું." મને એરપોર્ટ પર એક રૂમમાં બંધ કરી દીધો. શહીદો આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હતા. જ્યારે હું લડીને રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે મને લાગ્યું કે આખો શો સજાવવામાં આવી રહ્યો છે." પછી સત્યપાલ મલિકે કહ્યું કે પીએમ મોદીને શ્રીનગર જવું જોઈતું હતું.

સત્યપાલ મલિકે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો એ કારણે શહીદ થયા હતા કારણ કે તેઓએ પાંચ એરક્રાફ્ટ માંગ્યા હતા. એરક્રાફ્ટ મેળવવા માટેની અરજી ચાર મહિના સુધી ગૃહ મંત્રાલયમાં અટવાયેલી રહી. ગૃહ મંત્રાલયે આ વાતને ફગાવી દીધી હતી. આ કારણોસર આ લોકો જમીન માર્ગે ગયા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાનથી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
Embed widget