શોધખોળ કરો

Bilkis Bano Case: આરોપી જેલમાંથી છૂટ્યા બાદ કરી રહ્યો છે વકીલાત,સુપ્રીમ કોર્ટના જજ પણ હેરાન,આપી તીખી પ્રતિક્રિયા

Supreme Court on Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોમાંથી એક આ દિવસોમાં વકીલાતનું કામ કરી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

Supreme Court on Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોમાંથી એક આ દિવસોમાં વકીલાતનું કામ કરી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેણે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ પર વિચાર કરવાની જવાબદારી ગુજરાત સરકારને આપી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે મુક્તિ પછી તેને કોઈ પડકારી શકે નહીં. કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ગુજરાત સરકારે કહ્યું કે તેણે સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ મુક્તિ પર વિચાર કર્યો છે અને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેતા પહેલા તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે.

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને ગયા વર્ષે 15 ઓગસ્ટે  છોડી મુકવામાં આવ્યા હતા. આજીવન કેદની સજા પામેલા આ લોકોએ લગભગ 15 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેમની મુક્તિનો નિર્ણય કરતી વખતે 1992 ના જેલ નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ નિયમોમાં 14 વર્ષની જેલની સજા બાદ મુક્તિ પર વિચાર કરવાની જોગવાઈ છે.

દોષિતોની મુક્તિ સામે અરજી દાખલ

બિલ્કીસ બાનો ઉપરાંત સીપીએમ નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર્તા રૂપરેખા વર્મા અને ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સહિત અનેક લોકોએ આ લોકોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં અરજદારોએ જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાની બેંચ સમક્ષ તેમની દલીલો રજૂ કરી છે. આજે (ગુરુવાર, 24 ઓગસ્ટ) ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ સિવાય 11માંથી 2 દોષિતોએ પણ અરજીઓનો વિરોધ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી 31 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે થશે.

નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે આરોપી

બિલ્કીસ બાનો કેસના દોષી રાધેશ્યામ તરફથી હાજર થયેલા એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ ન્યાયાધીશોને કહ્યું કે તેમના અસીલને જેલમાં તેમના સારા વર્તનના આધારે મુક્ત કરવામાં આવ્યા છે. તેણે 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. હવે તે નીચલી કોર્ટમાં વકીલ બની ગયા છે. તે મોટર અકસ્માતના દાવાઓના કેસોમાં વકીલાત કરે છે. મલ્હોત્રા કહેવા માગતા હતા કે છૂટ્યાના 1 વર્ષ પછી કોઈને ફરીથી જેલમાં નાખવા યોગ્ય નથી, પરંતુ ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જઘન્ય અપરાધમાં દોષિત વ્યક્તિ કાયદાની પ્રેક્ટિસ કરે છે.

મુક્ત થયા બાદ દોષનો અંત નથી આવતો

જસ્ટિસ ભુઈયાએ પૂછ્યું કે શું દોષિત વ્યક્તિ કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે? આના પર વકીલે સજા પૂરી થવાનો ઉલ્લેખ કર્યો, પરંતુ જસ્ટિસ નાગરત્ને તેમને રોકતા કહ્યું કે, મુક્તિ સંબંધિત વહીવટી આદેશ વ્યક્તિને સજા પૂરી થાય તે પહેલા જેલમાંથી બહાર લાવી શકે છે, પરંતુ તેના અપરાધને દૂર કરી શકતો નથી.

મુક્ત થયા પછી જેલમાં મોકલવા યોગ્ય નથી

આ કેસમાં અન્ય એક દોષી વિપિન જોષી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે જણાવ્યું હતું કે જો બિલ્કીસના ગુનેગારોને છોડાવવામાં કોઈ ખામી હશે તો રાજ્ય સરકાર તેનો જવાબ આપશે, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેમને ફરીથી જેલમાં પાછા મોકલવા યોગ્ય નથી. કાયદો દરેકને સમાજમાં સુધારો કરવાની અને ફરીથી સમાજમાં સામેલ થવાનો મોકો આપે છે. એવું ન કહી શકાય કે જો દોષિતોને કાયદેસર રીતે મુક્ત કરવામાં આવ્યા છે, તો બિલકીસના કોઈ અધિકારનું ઉલ્લંઘન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget