શોધખોળ કરો

Bilkis Bano Case: આરોપી જેલમાંથી છૂટ્યા બાદ કરી રહ્યો છે વકીલાત,સુપ્રીમ કોર્ટના જજ પણ હેરાન,આપી તીખી પ્રતિક્રિયા

Supreme Court on Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોમાંથી એક આ દિવસોમાં વકીલાતનું કામ કરી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

Supreme Court on Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોમાંથી એક આ દિવસોમાં વકીલાતનું કામ કરી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેણે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ પર વિચાર કરવાની જવાબદારી ગુજરાત સરકારને આપી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે મુક્તિ પછી તેને કોઈ પડકારી શકે નહીં. કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ગુજરાત સરકારે કહ્યું કે તેણે સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ મુક્તિ પર વિચાર કર્યો છે અને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેતા પહેલા તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે.

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને ગયા વર્ષે 15 ઓગસ્ટે  છોડી મુકવામાં આવ્યા હતા. આજીવન કેદની સજા પામેલા આ લોકોએ લગભગ 15 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેમની મુક્તિનો નિર્ણય કરતી વખતે 1992 ના જેલ નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ નિયમોમાં 14 વર્ષની જેલની સજા બાદ મુક્તિ પર વિચાર કરવાની જોગવાઈ છે.

દોષિતોની મુક્તિ સામે અરજી દાખલ

બિલ્કીસ બાનો ઉપરાંત સીપીએમ નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર્તા રૂપરેખા વર્મા અને ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સહિત અનેક લોકોએ આ લોકોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં અરજદારોએ જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાની બેંચ સમક્ષ તેમની દલીલો રજૂ કરી છે. આજે (ગુરુવાર, 24 ઓગસ્ટ) ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ સિવાય 11માંથી 2 દોષિતોએ પણ અરજીઓનો વિરોધ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી 31 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે થશે.

નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે આરોપી

બિલ્કીસ બાનો કેસના દોષી રાધેશ્યામ તરફથી હાજર થયેલા એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ ન્યાયાધીશોને કહ્યું કે તેમના અસીલને જેલમાં તેમના સારા વર્તનના આધારે મુક્ત કરવામાં આવ્યા છે. તેણે 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. હવે તે નીચલી કોર્ટમાં વકીલ બની ગયા છે. તે મોટર અકસ્માતના દાવાઓના કેસોમાં વકીલાત કરે છે. મલ્હોત્રા કહેવા માગતા હતા કે છૂટ્યાના 1 વર્ષ પછી કોઈને ફરીથી જેલમાં નાખવા યોગ્ય નથી, પરંતુ ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જઘન્ય અપરાધમાં દોષિત વ્યક્તિ કાયદાની પ્રેક્ટિસ કરે છે.

મુક્ત થયા બાદ દોષનો અંત નથી આવતો

જસ્ટિસ ભુઈયાએ પૂછ્યું કે શું દોષિત વ્યક્તિ કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે? આના પર વકીલે સજા પૂરી થવાનો ઉલ્લેખ કર્યો, પરંતુ જસ્ટિસ નાગરત્ને તેમને રોકતા કહ્યું કે, મુક્તિ સંબંધિત વહીવટી આદેશ વ્યક્તિને સજા પૂરી થાય તે પહેલા જેલમાંથી બહાર લાવી શકે છે, પરંતુ તેના અપરાધને દૂર કરી શકતો નથી.

મુક્ત થયા પછી જેલમાં મોકલવા યોગ્ય નથી

આ કેસમાં અન્ય એક દોષી વિપિન જોષી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે જણાવ્યું હતું કે જો બિલ્કીસના ગુનેગારોને છોડાવવામાં કોઈ ખામી હશે તો રાજ્ય સરકાર તેનો જવાબ આપશે, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેમને ફરીથી જેલમાં પાછા મોકલવા યોગ્ય નથી. કાયદો દરેકને સમાજમાં સુધારો કરવાની અને ફરીથી સમાજમાં સામેલ થવાનો મોકો આપે છે. એવું ન કહી શકાય કે જો દોષિતોને કાયદેસર રીતે મુક્ત કરવામાં આવ્યા છે, તો બિલકીસના કોઈ અધિકારનું ઉલ્લંઘન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget