![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના કારણે દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં ‘લોકડાઉન’ અને કેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન ?
દેશનાં આ 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે તેનો અર્થ એ કે અહીં સંપૂર્ણ પ્રતિબંધો નથી.
![કોરોનાના કારણે દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં ‘લોકડાઉન’ અને કેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન ? Corona caused 'lockdown' in which states of the country and partial lockdown in how many states and union territories? કોરોનાના કારણે દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં ‘લોકડાઉન’ અને કેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/23/c5b9b9c47588baa03db48fdcc8da0b5a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ કોરોનાનો કહેર ક્યારે ઓછો થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે કેમ કે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. હાલમાં દેશનાં 19 રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતી છે. આ પૈકી ઘણાં રાજ્યોમાં સત્તાવાર રીતે લોકડાઉ લદાયું છે જ્યારે કેટલાંક રાજ્યોમાં લોકડાઉન શબ્દ વાપર્યા વિના લોકડાઉ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.
દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં દયા વરસે લદાયા હતા એવા જ લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત દેશનાં 13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. દેશનાં આ 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે તેનો અર્થ એ કે અહીં સંપૂર્ણ પ્રતિબંધો નથી. લોકોની ભીડ એકઠી થવા પર પ્રતિબંધો છે જ પણ સાથે સાથે છૂટ પણ છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત આંશિક લોકડાઉન ધરાવતાં રાજ્યોમાં સામેલ છે.
આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી કોરોનાના કેસોમાં ટોપ પર છે.
દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 67 લાખ 52 હજાર 447
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 37 લાખ 28 હજાર
- કુલ એક્ટિવ કેસ - 27 લાખ 20 હજાર 716
- કુલ મોત - 3 લાખ 3 હજાર 720
- દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.13 ટકા છે જ્યારે રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ ઘટીને 11 ટકાથી ઓછા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખઅયાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)