શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક હશે અને કેવી રીતે પોતાને સુરક્ષિત રાખશો ? જાણો શું કહે છે એક્સપર્ટ

સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવને ત્રીજી લહેરની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર આવશે.  તેના માટે વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય.

નવી દિલ્હી:  કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આજે દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈ દવા, બેડની અછત વર્તાઈ છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવને બુધવારે ત્રીજી લહેરની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર આવશે.  તેના માટે વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. સાથે રસીકરણને પણ ગતિ આપવી પડશે. 


તેમણે કહ્યું કે,  નવા કોરોના સ્ટ્રેન સામે લડવા વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે. વધુ સાવધાની રાખવી પડશે. એ વાતનો ઈનકાર ના કરી શકાય કે ત્રીજી લહેર દરમિયાન શું સ્થિતિ હશે. તેમણે કહ્યું કે અમે રાજ્ય સરકારોને જરૂરી પગલા લેવા માટે સૂચના આપી છે. યૂકે વેરિએન્ટની અસર હવે ઓછી થઈ રહી છે અને નવા વેરિએન્ટની અસર જોવા મળી રહી છે.


ત્રીજી લહેર કેટલી ઘાતક ?

કોરોનાની ત્રીજી લહેર વિશે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં ડૉક્ટર અજિત સિન્હાએ કહ્યું કે, તે સમય સુધીમાં કોરોના પોતાને પરિવર્તિત કરી શકે છે. એવામાં તેની શું અસર થશે તેના વિશે કંઇ કહી શકાઈ નહીં. તેમણે કહ્યું કે, બીજા તબક્કામાં શું સ્થિતિ સર્જાઈ છે તે કોઈથી છુપાયેલી નથી. બીજા તબક્કામાં બેડ, પરિવહન સહિતની અનેક સમસ્યાઓ આવી. ઓક્સિજનના અભાવનું સંકટ છે, અનેક નિષ્ફળતાઓ આવી છે.

અજિત સિંહા વધુમાં જણાવ્યું કે, જો આરોગ્ય સેવાઓ મજબૂત રાખવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. જો લોકોએ બેદરકારી દાખવી ન હોત તો કોરોનાની બીજી લહેર આટલી બધી ઘાતક ન હોત. લોકો માસ્ક વગર ફરવા લાગ્યા, ગંભીરતા ન લીધી. જો આ માનસિકતા યથાવત્ રહે તો ચોક્કસ ત્રીજી લહેર ખૂબજ ઘાતક બની શકે છે.

ત્રીજી લહેરમાં કેવી રીતે બચશો ?

ડો.અજિત સિન્હાએ કહ્યું હતું કે, કોરોના સમયે લોકોને એકમાત્ર વસ્તુ વચાવી શકે છે, તે છે કોરોના વિશે લોકોમાં જાગૃતિ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને સતત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. આ સાથે,  બીજા તબક્કા દરમિયાન સરકાર પણ સમજી ગઈ છે કે, એવામાં સરકાર મહામારીને ગંભીરતાથી લઈને તૈયાર રહે છે અને મેડિકલ જ નહીં પરંતુ પેરામેડિકલ સપોર્ટ સિસ્ટમ્સ બનાવે છે, તો જ આ પડકારોને પહોંચી શકાશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget