શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી લાદવામાં આવશે લોકડાઉન ?

Lockdown News: કેરળમાં કેસ વધી રહ્યા છે, જો સરકારે લોકડાઉન નાંખે તો 15 દિવસમાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે. પ્રો. રિજો જોહને જણાવ્યું કે, ટૂંકાગાળા માટે પણ સંપૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ.

થિરુવનંતપુરમઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરળમાં સતત ચિંતાજનક રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે. એકબાજુ દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કેરળમાં સ્થિતિ સારી નથી. દેશમાં રોજના નોંધાતા કેસ પૈકા 50 થી 60 ટકા કેસ માત્ર કેરળમાં જ નોંધાય છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કુલ એક્ટિવ કેસ પૈકીના 70 ટકા જેટલા કેસ કેરળમાં જ છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં એક્સપર્ટે કહ્યું કે, લોકડાઉનથી કેસમાં ઘટાડો થઈ શકે છે અને ટેસ્ટ પોઝિટિવિટી રેટ પણ નિયંત્રણમાં આવી શકે છે. અધિકારીએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું, ત્રણ દિવસ પહેલા ટેસ્ટ પોઝિટિવિટી રેટ 15 ટકા હતો જે વધીને 19 ટકા પહોંચી ગયો છે. હાલ કેસ વધી રહ્યા છે, જો સરકારે લોકડાઉન નાંખે તો 15 દિવસમાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે. પ્રો. રિજો જોહને જણાવ્યું કે, જો સ્થિતિ વણસી રહી છે તેમ લાગી રહ્યું હોય તો ટૂંકાગાળા માટે પણ સંપૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ.

કેરળમાં સોમવારે કોવિડ-19ના 19,622 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 40,27,030 પર પહોંચી ગઈ છે. જ્યારે 132 દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક 20,673 થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 37,96,317 લોકો કોરોના મુક્ત થયા છે અને 2,09,493 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.

દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 27 લાખ 68 હજાર 80
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 59 હજાર 680
  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 70 હડાર 640
  • કુલ મોતઃ 4 લાથ 38 હજાર 560

કેટલા ડોઝ આપવામાં આવ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 64 કરોડ 5 લાખ 28 હજારને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 59.62 લાખ લોકોને રસી અપાઈ હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 52 કરોડ 15 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, ગઈકાલે 13.94 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી ઓછો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
Embed widget