"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
Rabri Devi On Nitish Kumar: આરજેડી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ આરોપ લગાવ્યો કે ભાજપ નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલીને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવાનું કાવતરું ઘડી રહી છે.

Rabri Devi On Nitish Kumar: મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યાના સમાચાર બાદ બિહારમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી અને RJD નેતા રાબડી દેવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો છે કે BJP નીતિશ કુમારને રાજ્યસભા મોકલીને તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું કાવતરું કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે નીતિશ કુમારે બિહાર છોડવું ન જોઈએ અને મુખ્યમંત્રી પદ પર યથાવત રહેવું જોઈએ.
बिहार की पूर्व सीएम राबड़ी देवी ने भाजपा पर नीतीश कुमार को बिहार से बाहर धकेलने की कोशिश करने का आरोप लगाया, उन्होंने कहा- "बीजेपी नीतीश कुमार को बिहार से भगा रही..."#BiharPolitics #NitishKumarRajyaSabha #LaluYadav #ABPNews pic.twitter.com/ohaOAhdmcW
— ABP News (@ABPNews) March 7, 2026
RJD નેતા રાબડી દેવીએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવતા કહ્યું કે, ''BJP નીતિશ કુમારને બિહારની બહાર ભગાવી રહી છે. નીતિશ કુમારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તેમણે બિહાર છોડવું ન જોઈએ.''
5 માર્ચના રોજ નીતિશ કુમારે દાખલ કર્યું હતું નામાંકન
મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે (05 માર્ચ) ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન બિહારના બંને ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા હાજર રહ્યા હતા. CM એ નામાંકન પહેલા રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા જાહેરાત કરી હતી.
તેજસ્વી યાદવે શું કહ્યું?
આ પહેલા RJD નેતા તેજસ્વી યાદવે પણ આરોપ લગાવતા કહ્યું, "ચૂંટણીમાં જે રીતે તેમની જીત થઈ છે, તે ધનતંત્રની અને મશીનતંત્રની જીત છે. નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ રાજ્યસભા જવા માંગે છે. અમે શરૂઆતથી જ આ વાત કહેતા રહ્યા છીએ કે ચૂંટણી પછી BJP ના લોકો નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ પર રહેવા નહીં દે. આજે તે વાત સાચી સાબિત થઈ છે. જનઆકાંક્ષાઓ આ સત્તા પરિવર્તનની વિરુદ્ધ છે.''
રાજ્યસભાની 5 બેઠકો માટે 16 માર્ચ ના રોજ ચૂંટણી
જોકે, વિરોધ પક્ષોનો આરોપ છે કે નીતિશ કુમારે BJP ના દબાણમાં રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે આ ઘટનાક્રમ બિહારમાં નેતૃત્વનું માળખું બદલવા માટે BJP ની એક મોટી રાજકીય સાજિશનો ભાગ છે. બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે 16 માર્ચ ના રોજ ચૂંટણી છે. બિહારની 243 સભ્યોની વિધાનસભામાં NDA પાસે 202 ધારાસભ્યોની બહુમતી છે. જોકે, તમામ પાંચ બેઠકો જીતવા માટે તેમને વધુ ત્રણ મતોની જરૂર છે.























