શોધખોળ કરો

કોરોના મૃતકોને ચાર લાખનું વળતર આપવું શક્ય નથી, મોદી સરકારની સુપ્રીમ કોર્ટમાં કબૂલાત

કેન્દ્રએ કહ્યું ચાલુ વર્ષે રાજ્યોને 22,184 કરોડ રૂપિયા એસડીઆરએફમાં આપવામાં આવ્યા છે. જેનો એક મોટો હિસ્સો કોરોનાથી લડવામાં ખર્ચ થઈ રહ્યો છે. કેન્દ્રએ 1.75 લાખ કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યુ છે.

નવી દિલ્હીઃ કોરોનાથી મોત થનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવા માટે કેન્દ્ર સરકારે અસમર્થતા વ્યક્ત કરીછે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંધનામામાં કેન્દ્રએ જણાવ્યું કે, આ પ્રકારની ચૂકવણીથી રાજ્યો પાસે ઉપલબ્ધ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી થાય છે. જો રાજ્યોને દરેક મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપવામાં આવે તો તેમનું ફંડ ખતમ થઈ જશે. ઉપરાંત પૂર, વાવાઝોડું જેવી આફતો સામે લડવું મુશ્કેલ બનશે.

કેન્દ્રએ કહ્યું ચાલુ વર્ષે રાજ્યોને 22,184 કરોડ રૂપિયા એસડીઆરએફમાં આપવામાં આવ્યા છે. જેનો એક મોટો હિસ્સો કોરોનાથી લડવામાં ખર્ચ થઈ રહ્યો છે. કેન્દ્રએ 1.75 લાખ કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યુ છે. જેમાંથી ગરીબોને ફ્રી રાશન ઉપરાંત વૃદ્ધ, દિવ્યાંગ, અસમર્થ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા, 22.12 લાખ ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સને 50 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર આપવું જેવી વાતો સામેલ છે. હાલ કેન્દ્ર અને રાજ્યોને ખૂબ ઓછી રેવન્યૂ મળી રહી છે. આમ કરવાથી 3 લાખ 85 હજારથી વધુ લોકોના મોત બદલ 4-4 લાખ રૂપિયાની ચુકવણી કરવી આર્થિક રીતે ખૂબ મુશ્કેલ છે. રાજ્યોને ફરજ પાડવામાં આવે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કાર્યો પ્રભાવિત થશે.

દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009
  • કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243  
  • કુલ મોત - 3 લાખ 86 હજાર 713

દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.   જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.

કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Embed widget