શોધખોળ કરો

Corona in India: કોરોનાના વધતા કેસ વચ્ચે PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, લૉકડાઉનને લઈ શકે છે ચર્ચા ?

Corona Cases in India Update: છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાતમાં કોરોનાના મામલામાં ઝડપથી વધારો થયો છે.પીએમ મોદી દેશમાં રસીકરણ શરૂ થયા પછી પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઇ રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના ચિંતાજનક રીતે વધી રહેલા મામલાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ફરી એક વખત બેઠક કરશે. પીએમ મોદીની આ બેઠક આજે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી યોજાશે. બેઠક દરમિયાન રસીકરણને લઈ પણ ચર્ચા થશે. છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાતમાં કોરોનાના મામલામાં ઝડપથી વધારો થયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, કોરોના વાયરસથી બચવાના ઉપાયનું પાલન કરવામાં બેદરકારીના કારણે સંક્રમણના મામલામાં વધારો થઈ રહ્યો છે. 75 ટકાથી વધારે મામલા આ રાજ્યોમાં છે.

દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એકવાર ઝડપથી તીવ્ર બની રહ્યો છે, આવી સ્થિતિમાં મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન મોદીની આ બેઠક ખૂબ જ મહત્ત્વની બની રહેવાની છે. કોરોનાના પ્રકોપ વચ્ચે પીએમ મોદી દેશમાં રસીકરણ શરૂ થયા પછી પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઇ રહ્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. મંગળવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ મહામારીથી એક જ દિવસમાં 131 લોકોના મોત થયા છેહતો વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.

ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસો....

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.

દેશના આ રાજ્યોમાં  નાઇટ કર્ફ્યૂ

ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશે પણ કોરોના પર કાબુ મેળવવા નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે બુધવાર રાતથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છીંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોન સામેલ છે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નહીં રહે પરંતુ બજારો બંધ રખાશે. આ ઉપરાંત પંજાબના રૂપનગર જિલ્લામાં રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ નાંખવામાં આવ્યો છે.

રાશિફળ 17 માર્ચ:  આજે શુક્ર મીન રાશિમાં કરશે પ્રભાવ, જાણો આજે કેવો રહેશે તમારો દિવસ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, અમિત શાહે પરિવાર સાથે કર્યા દર્શન
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, અમિત શાહે પરિવાર સાથે કર્યા દર્શન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Embed widget