શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાથી કેટલા ટકા પુરુષોના થયા મોત ? 50 ટકાથી વધુ મૃતકો કેટલી ઉંમરના છે, જાણો વિગતે
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,55,746 પર પહોંચી છે અને 38,938 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી તૈયાર કરવાની દિશામાં દેશની અનેક ફાર્મા કંપનીઓ ઝડપથી કામ કરી રહી છે. આઈસીએમઆર સાથે હૈદરાબાદની ભારત બાયોટેક, પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અન અમદાવાદની ઝાયડસ કેડિલા ઉપરાંત અન્ય કંપનીઓ વેક્સીન બનાવવામાં લાગી છે. સીરમ ઈન્સ્ટિયૂટ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને રસી બનાવી રહી છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ આઈસીએમઆર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ અને આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે દેશમાં કોરોનાની સ્થિતિને લઈ જાણકારી આપી હતી.
સ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જૂનના બીજા સપ્તાહમાં મૃત્યુદર 3.36 ટકા હતો, જે જુલાઈના બીજા સપ્તાહમાં ઘટીને 2.69 ટકા થયો છે. કોરોના વાયરસના કુલ મામલમામાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓના મોત થયા છે. 50 ટકા મૃત્યુ 60 કે તેથી વધારે ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીના થયા છે. 37 ટકા મૃત્યુ 60 વર્ષના દર્દીના થયા છે.
ભારતનો પોઝિટિવિટી રેટ 8.89 ટકા છે, જે ગત સપ્તાહે 11 ટકા હતો. 10 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટવાળા રાજ્યોમાં પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે. દેશમાં હાલ 5,86,298 એક્ટિવ કેસ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 52,050 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 803 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,55,746 પર પહોંચી છે અને 38,938 લોકોના મોત થયા છે.
Corona Vaccine: ભારતમાં કેટલી રસી ક્લિનિક્લ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે ? ICMR એ શું કહ્યું, જાણો વિગત
IPL 2020ના સૌથી મોટા સમાચાર, મુખ્ય સ્પોન્સર વીવોને લઈ શું લેવામાં આવ્યો નિર્ણય, જાણો વિગતે
રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion