શોધખોળ કરો

વાતાવરણમાં ઠંડી વધતાં કોરોનાનો ખતરો વધશે કે ઘટશે ? સંશોધકોએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો મહત્વની વિગત

રિસર્ચર્સે પોતાની સ્ટડીમાં દલીલ કરી છે કે, જ્યારે ભેજ ઓછું થઇ જાય છે અને હવા સૂક્ષ્મ થઇ જાય છે ત્યારે કણ વધારે સૂક્ષ્મ થઇ જાય છે.

નવી દિલ્હીઃ વિશ્વમાં ફેલાઈ રહેલ કોરોનાના પ્રકોપને લઈને અવારનવાર નવા નવા દાવો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ન તો તેની કોઈ રસી બની છે અને ન તો કોઈ ચોક્કસ દવાની શોધ થઈ શકી છે. સિડની યૂનિવર્સિટી અને શાંઘાઈની ફૂડાન યૂનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થે એક રિસર્ચમાં દાવો કર્યો છે કે તાપમાનમાં જેમ જેમ ભેજ ઘટતો જશે તેમ તેમ ચેપનું જોખમ વધી જશે. તેમનું કહેવું છે કે, કોવિડ-19 ઠંડીમાં સીઝનલ બીમારી બની શકે છે. ચેનલ 9માં પ્રકાશિત અહેવાલ અનુસાર સિડનીમાં કોરોનાના 749 દર્દી પર રિસર્ચ કરીને આ દાવો કરવામાં આવ્યો છે. આ રિસર્ચ 26 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે કરવામાં આવ્યો જેમાં વરસાદ, ભેજ અને જાન્યુઆરીથી માર્ચના તાપમાનના આંકડા લેવામાં આવ્યા હતા. મહામારી નિષ્ણાંતો અને ચેપના અન્ય પેરામીટર્સ પર જ્યારે આ રિસર્ચ કરીને કહ્યું કે, ચેપ ફેલાવવામાં ભેજ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. સિડની યૂનિવર્સિટીના પ્રોફેસર માઇકલ વાર્ડ અનુસાર, ઠંડી કરતાં પણ વધારે મહત્ત્વનું છે ઓછા ભેજવાળું વાતાવરણ. તેમણે કહ્યું, ભેજ ઘટવા પર વાયરસના કરણ પણ હલખા અને નાના થતા જાય છે. માટે ચેપનું જોખમ વધી જાય છે. ચીન, યૂરોપ, ઉત્તર અમેરિકામાં આ મહામારી ઠંડીની સીઝનમાં ફેલાઈ. રિસર્ચર્સે પોતાની સ્ટડીમાં દલીલ કરી છે કે, જ્યારે ભેજ ઓછું થઇ જાય છે અને હવા સૂક્ષ્મ થઇ જાય છે ત્યારે કણ વધારે સૂક્ષ્મ થઇ જાય છે. આ દરમિયાન છીંકવા કે ઉધરસ ખાવા પર કણ હવામાં લાંબા સમય સુધી ટકી રહે છે. તેવામાં સ્વસ્થ લોકોમાં સંક્રમણનું જોખમ વધી જાય છે. તો બીજી તરફ હવામાં ભેજ વધે છે તો આ કણ મોટા અને ભારે હોવાથી નીચે પડી જાય છે. સિડની યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ વોર્ડના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 ઠંડીમાં સીઝનલ બીમારી બની શકે છે. જો ઠંડીની સિઝન છે અને લક્ષણ દેખાય તો તરત જ અલર્ટ થવું જરૂરી છે. રિસર્ચર્સનો દાવો છે કે, હોન્ગકોન્ગમાં કોવિડ-19 અને સાઉદી અરેબિયામાં મેર્સના કેસોનું વાતાવરણ સાથે જોડાણ મળ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget