![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaria: મેલેરિયા સામે લડવા માટે વૈજ્ઞાનિકોએ શોધી નવી રીત, શું હવે થઇ જશે પરમેનન્ટ ઇલાજ ?
વૈજ્ઞાનિકોની ટીમે એન્ટીટ્યૂમર દવા દ્વારા મેલેરિયા સામે લડવાનો એક નવી રીત શોધી કાઢી છે. આ રીતથી લિપિડને ટાર્ગેટ કરીને મેલેરિયાનો ઇલાજ થશે
![Malaria: મેલેરિયા સામે લડવા માટે વૈજ્ઞાનિકોએ શોધી નવી રીત, શું હવે થઇ જશે પરમેનન્ટ ઇલાજ ? Cure For Malaria: in india scientists have found a new way to fight malaria Malaria: મેલેરિયા સામે લડવા માટે વૈજ્ઞાનિકોએ શોધી નવી રીત, શું હવે થઇ જશે પરમેનન્ટ ઇલાજ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/15/2edba0b908be06ba82d2e1522456f572167644669498477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cure For Malaria: મેલેરિયા મચ્છરોથી થતો એક પ્રકારનો સંક્રમણ રોગ છે, જે ફીમેલ એનોફિલીસ મચ્છરના કરડવાથી થાય છે. દર વર્ષે મેલેરિયાથી ભારતમાં હજારો લોકોના જીવ પણ જાય છે. મેલેરિયાથી થતા મોતના મામલામાં ભારત વિશ્વમાં ચોથા નંબરના સ્થાન પર છે. ભારતે 2027 સુધી મેલેરિયા મુક્ત થવા અને 2030 સુધી આ બિમારીને ખતમ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. હવે આ કડીમાં વધુ એક સફળતા હાથ લાગી છે, જવાહરલાલ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમે આની સામે લડવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે.
લિપિડને ટાર્ગેટ કરીને થશે મેલેરિયાનો ઇલાજ -
વૈજ્ઞાનિકોની ટીમે એન્ટીટ્યૂમર દવા દ્વારા મેલેરિયા સામે લડવાનો એક નવી રીત શોધી કાઢી છે. આ રીતથી લિપિડને ટાર્ગેટ કરીને મેલેરિયાનો ઇલાજ થશે. જેએનયૂમાં સ્પેશ્યલ સેન્ટર ફૉર મૉલિક્યૂલર મેડિસનના પ્રૉફેસર શૈલજા સિંહના નેતૃત્વમાં ટીમે એન્ટીટ્યૂમર એજન્ટનુ પરીક્ષણ કર્યુ, અને શોધ્યુ કે, આનાથી પરજીવીના તે સ્ત્રોતને જ સમાપ્ત કરી દીધો, જ્યાંથીતે પોષણ મેળવતો હતો, અને છેવટે આનુ મૃત્યુ થઇ ગયુ. આ શોધ સાથે જોડાયેલા પરિણામ અમેરિકન સોસાયટી ફૉર માઇક્રબાયૉલજીના ઇમપ્કેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, વ્યવહારિક રીતે તમામ મેલેરિયા રોધી દવાઓના પ્રતિરોધીના વિકાસ વર્તમાન મેલેરિયાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો પડકાર છે.
શોધકર્તાનું કહેવુ છે કે મેલેરિયાની સામે આર્ટેમિસિનિન આધારિત કીમોથેરાપીની સફળતા છતાં કેટલાય બાળકોને હજુ પણ બચાવવા મુશ્કેલ બની જાય છે, અને તે ગંભીર મેલેરિયાથી મરી જાય છે. આવામાં મેલેરિયાના પરજીવીના પોષણ પ્રદાન કરનારાને જ ટાર્ગેટ કરીને થેરેપી મેલેરિયા પરજીવીઓને ટાર્ગેટ કરનારી દવાઓનો ઓપ્શન બની શકે છે.
મેલેરિયા પરજીવીમાં કેટલી પ્રજાતિયો હોય છે ?
મચ્છરથી પેદા થનારો મેલેરિયા એક વાયરસના કારણે થાય છે. જે પહેલા લીવર સેલમાં અને પછી રેડ બ્લડ સેલમાં પોતાનો દુષ્પ્રભાવ અનેક ગણો વધે છે. અમેરિકા સ્થિત રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અનુસાર મનુષ્યને ચાર પ્રકારના મેલેરિયા પરજીવી સંક્રમિત કરે છે, આમાં પ્લાઝ્મોડિયમ, ફલસીપેરમ, પી વિવેક્સ, ઓવલે અને પી મેલેરિયા.
Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓ માત્ર સૂચનો તરીકે છે, એબીપી અસ્મિતા ન્યૂઝ આની પુષ્ટી નથી કરતુ. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાયેટ અને સૂચનો પર અમલ કરતા પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)