શોધખોળ કરો

Arvind Kejriwal Arrested : EDની ધરપકડ બાદ કેજરીવાલનું પ્રથમ નિવેદન, 'જેલમાં રહું કે બહાર...'

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

Arvind Kejriwal Arrest Updates: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં બે કલાકની પૂછપરછ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં જતી વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારું જીવન દેશને સમર્પિત છે, હું જેલમાં રહું કે બહાર. EDએ આજે ​​સીએમ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા છે. તપાસ એજન્સીએ તેમને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

અરવિંદ કેજરીવાલને ઈડીની કોર્ટમાં રજૂ કરવામાં  આવ્યા હતા. આ પછી તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટીના પહેલા ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એવું લાગે છે કે તમે તમારો પહેલો વોટ કરો તે પહેલાં જ તમને પરિણામની ખબર હોય.  તમામ મોટા નેતાઓ જેલમાં છે. ચૂંટણી નજીક છે. આનાથી બંધારણના મૂળભૂત માળખાને અસર થાય છે. આ લોકશાહીને અસર કરે છે.

દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં સીએમ કેજરીવાલને નવ સમન્સ જાહેર કર્યા હતા. ગુરુવારે EDની ટીમ 10મા સમન્સને લઈને તેમના ઘરે પહોંચી હતી. આટલા સમન્સ જાહેર કર્યા પછી પણ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. આ દરમિયાન કેજરીવાલે ધરપકડથી બચવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.

સીએમ કેજરીવાલ આમાં કેવી રીતે ફસાયા?

EDએ ગયા વર્ષે 2 નવેમ્બરે સીએમ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.

EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.

EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સીએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.

આ કેસના અન્ય એક આરોપી દિનેશ અરોરાએ પણ EDને જણાવ્યું છે કે તેઓ કેજરીવાલને તેમના ઘરે મળ્યા હતા. EDનું કહેવું છે કે YSR કોંગ્રેસના સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. સીએમ કેજરીવાલે દિલ્હીના દારૂના ધંધામાં રેડ્ડીના પ્રવેશનું સ્વાગત કર્યું હતું.

પૂછપરછ દરમિયાન, બૂચીબાબુ અને આરોપી અરુણ પિલ્લઈએ ખુલાસો કર્યો છે કે તેઓ કેજરીવાલ અને સિસોદિયા સાથે એક્સાઈઝ પોલિસી પર કામ કરતા હતા. 

દારૂ કૌભાંડમાં ત્રણ મોટી ધરપકડો થઈ ચૂકી છે.

મનીષ સિસોદિયાઃ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2022થી જેલમાં છે. જ્યારે દિલ્હીમાં નવી દારૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે આબકારી વિભાગ સિસોદિયાની પાસે હતું. એવો આરોપ છે કે આબકારી મંત્રી હોવાને કારણે સિસોદિયાએ 'મનસ્વી' અને 'એકપક્ષીય' નિર્ણયો લીધા હતા, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું અને દારૂના વેપારીઓને ફાયદો થયો હતો.

- સંજય સિંહઃ EDની ચાર્જશીટ મુજબ, આરોપી દિનેશ અરોરા સંજય સિંહને મળ્યો હતો. સંજય સિંહના કહેવા પર અરોરાએ દિલ્હી ચૂંટણી માટે ફંડ એકઠું કર્યું અને સિસોદિયાને 32 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. બદલામાં સંજય સિંહે અરોરાનો એક કેસ ઉકેલ્યો જે આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો. સંજય સિંહ ગયા વર્ષે 4 ઓક્ટોબરથી જેલમાં છે.

- કે. કવિતા: EDનો દાવો છે કે 'સાઉથ ગ્રુપ' એ આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ સાઉથ ગ્રુપનો એક ભાગ હતી. સાઉથ ગ્રુપમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, કે. કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. કવિતાની ED દ્વારા આ વર્ષે 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

શું છે દારૂ કૌભાંડ

17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી. નવી પોલીસી હેઠળ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આખી દુકાનો ખાનગી હાથમાં જતી રહી હતી.

દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જોકે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે 28 જુલાઈ 2022ના રોજ તેને રદ કરી દીધી હતી.

દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget