શોધખોળ કરો

Arvind Kejriwal Arrested : EDની ધરપકડ બાદ કેજરીવાલનું પ્રથમ નિવેદન, 'જેલમાં રહું કે બહાર...'

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

Arvind Kejriwal Arrest Updates: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં બે કલાકની પૂછપરછ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં જતી વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારું જીવન દેશને સમર્પિત છે, હું જેલમાં રહું કે બહાર. EDએ આજે ​​સીએમ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા છે. તપાસ એજન્સીએ તેમને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

અરવિંદ કેજરીવાલને ઈડીની કોર્ટમાં રજૂ કરવામાં  આવ્યા હતા. આ પછી તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટીના પહેલા ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એવું લાગે છે કે તમે તમારો પહેલો વોટ કરો તે પહેલાં જ તમને પરિણામની ખબર હોય.  તમામ મોટા નેતાઓ જેલમાં છે. ચૂંટણી નજીક છે. આનાથી બંધારણના મૂળભૂત માળખાને અસર થાય છે. આ લોકશાહીને અસર કરે છે.

દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં સીએમ કેજરીવાલને નવ સમન્સ જાહેર કર્યા હતા. ગુરુવારે EDની ટીમ 10મા સમન્સને લઈને તેમના ઘરે પહોંચી હતી. આટલા સમન્સ જાહેર કર્યા પછી પણ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. આ દરમિયાન કેજરીવાલે ધરપકડથી બચવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.

સીએમ કેજરીવાલ આમાં કેવી રીતે ફસાયા?

EDએ ગયા વર્ષે 2 નવેમ્બરે સીએમ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જાહેર કરવામાં આવ્યું છે.

EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.

EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સીએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.

આ કેસના અન્ય એક આરોપી દિનેશ અરોરાએ પણ EDને જણાવ્યું છે કે તેઓ કેજરીવાલને તેમના ઘરે મળ્યા હતા. EDનું કહેવું છે કે YSR કોંગ્રેસના સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. સીએમ કેજરીવાલે દિલ્હીના દારૂના ધંધામાં રેડ્ડીના પ્રવેશનું સ્વાગત કર્યું હતું.

પૂછપરછ દરમિયાન, બૂચીબાબુ અને આરોપી અરુણ પિલ્લઈએ ખુલાસો કર્યો છે કે તેઓ કેજરીવાલ અને સિસોદિયા સાથે એક્સાઈઝ પોલિસી પર કામ કરતા હતા. 

દારૂ કૌભાંડમાં ત્રણ મોટી ધરપકડો થઈ ચૂકી છે.

મનીષ સિસોદિયાઃ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2022થી જેલમાં છે. જ્યારે દિલ્હીમાં નવી દારૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે આબકારી વિભાગ સિસોદિયાની પાસે હતું. એવો આરોપ છે કે આબકારી મંત્રી હોવાને કારણે સિસોદિયાએ 'મનસ્વી' અને 'એકપક્ષીય' નિર્ણયો લીધા હતા, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું અને દારૂના વેપારીઓને ફાયદો થયો હતો.

- સંજય સિંહઃ EDની ચાર્જશીટ મુજબ, આરોપી દિનેશ અરોરા સંજય સિંહને મળ્યો હતો. સંજય સિંહના કહેવા પર અરોરાએ દિલ્હી ચૂંટણી માટે ફંડ એકઠું કર્યું અને સિસોદિયાને 32 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. બદલામાં સંજય સિંહે અરોરાનો એક કેસ ઉકેલ્યો જે આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો. સંજય સિંહ ગયા વર્ષે 4 ઓક્ટોબરથી જેલમાં છે.

- કે. કવિતા: EDનો દાવો છે કે 'સાઉથ ગ્રુપ' એ આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ સાઉથ ગ્રુપનો એક ભાગ હતી. સાઉથ ગ્રુપમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, કે. કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. કવિતાની ED દ્વારા આ વર્ષે 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

શું છે દારૂ કૌભાંડ

17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી. નવી પોલીસી હેઠળ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આખી દુકાનો ખાનગી હાથમાં જતી રહી હતી.

દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જોકે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે 28 જુલાઈ 2022ના રોજ તેને રદ કરી દીધી હતી.

દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Embed widget