શોધખોળ કરો

Delhi Air Pollution: પ્રદૂષણને નિયંત્રણમાં લેવા આ રાજ્યમાં લગાવાશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો વિગત

Air Pollution: કેજરીવાલ સરકારે કોર્ટમાં એમ પણ કહ્યું કે, પડોશી રાજ્ય અંતર્ગત આવતાં એનસીઆરમાં પણ લોકડાઉન લગાવાય તો વધારે સાર્થક ગણાશે

Delhi Air Pollution: રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે કેજરીવાલ સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે, તેમની સરકાર પૂર્ણ લોકડાઉન લગાવવા તૈયાર છે. કેજરીવાલ સરકારે કોર્ટમાં એમ પણ કહ્યું કે, પડોશી રાજ્ય અંતર્ગત આવતાં એનસીઆરમાં પણ લોકડાઉન લગાવાય તો વધારે સાર્થક ગણાશે. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી સરકારે શનિવાર ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પૂર્ણ લોકડાઉન લગાવવાનું સૂચન કર્યુ છે. કોર્ટના આદેશને લઈ અમે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છીએ.

અરવિંદ કેજરીવાલે કહ્યું  હતું કે આ સમયે અમારો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને રાહત આપવાનો છે. તેમણે કહ્યું કે તેમણે તમામ વિભાગોના લોકો સાથે બેઠક કરી અને ચાર નિર્ણયો લીધા. તેમણે કહ્યું કે આ કોઈની સામે આંગળી ચીંધવાનો સમય નથી. પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે લોકડાઉન લાગુ કરવા માટે વિચારણા કરવાનું કહ્યું હતું. આના પર સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ સંપૂર્ણ લોકડાઉન પર પ્રસ્તાવ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકીશું. કેન્દ્ર સરકાર અને તમામ એજન્સીઓ સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે જો સ્થિતિ આવી જ બને છે (પ્રદૂષણ વધુ વધે છે), તો દિલ્હીમાં તમામ ખાનગી વાહનો, બાંધકામ, પરિવહન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ માત્ર એક પ્રસ્તાવ છે.

સીએમ કેજરીવાલે આ મોટી જાહેરાતો કરી હતી

  • રાજધાની દિલ્હીમાં તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ.
  • સરકારી કર્મચારીઓ એક અઠવાડિયા સુધી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરશે.
  • ખાનગી ઓફિસોને ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવશે.
  • સોમવારથી ત્રણ દિવસ શહેરમાં બાંધકામની પ્રવૃત્તિઓ બંધ રહેશે.

દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ ગંભીર મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આપણે ઘરે પણ માસ્ક પહેરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તેણે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લીધાં છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવા પર પણ વિચાર કરવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget