શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં દારુ સસ્તો થયો, જાણો કેટલા ટકા આપવામાં આવી રહ્યું છે ડિસ્કાઉન્ટ

સરકારના આબકારી વિભાગે ખાનગી આઉટલેટ્સને દારૂની મહત્તમ છૂટક કિંમત (MRP) પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની મંજૂરી આપી છે.

નવી દિલ્હી:  દિલ્હી સરકારના આબકારી વિભાગે ખાનગી આઉટલેટ્સને દારૂની મહત્તમ છૂટક કિંમત (MRP) પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે દારૂની બોટલો પર ડિસ્કાઉન્ટ અને વેચાણ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોવિડ-19ના પ્રતિબંધોનું યોગ્ય રીતે પાલન ન થતા અને બજારમાં અયોગ્ય વ્યવહારના કારણે લેવામાં આવ્યો હતો.

શુક્રવારે દિલ્હીના આબકારી કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, સરકારે નિયમનું કડક પાલન સાથે દિલ્હીના NCTના અધિકારક્ષેત્રમાં દારૂના વેચાણ પર MRPના 25% સુધીની છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 

દિલ્હીના આબકારી કમિશનરે ડિસ્કાઉન્ટ સાથે દારૂના વેચાણ માટે પોતાની મંજૂરી આપી હતી. આ આદેશ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનો MRP પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. તે દરમિયાન દિલ્હી એક્સાઈઝ રૂલ્સ, 2010ની કલમ 20નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

દિલ્હીમાં દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ મેળવનાર દુકાનોને હવે નિર્ધારિત નિયમો અને શરતોનું કડક પાલન કરવું પડશે અને કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં તેમની વિરુદ્ધ દિલ્હી એક્સાઈઝ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આબકારી કમિશનરના આદેશમાં જણાવ્યું હતું કે, "જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ સમયે ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાનો સરકારનો અધિકાર અનામત છે. ડિસ્કાઉન્ટ આપવાના નિર્ણયને ચાલુ રાખવા માટે સરકાર પર કોઈ દબાણ રહેશે નહીં."

ફેબ્રુઆરી મહિનામાં કોવિડ મહામારીના પ્રકોપ ચાલું રહેવાના કારણે દિલ્હીમાં ખાનગી દુકાનો પર દારૂના વેચાણ પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને 'એક ખરીદો, એક મફત મેળવો' જેવી યોજનાઓને કારણે ઘણા વિસ્તારોમાં દુકાનોની બહાર ભારે ભીડ થવાના કેસ સામે આવવા લાગ્યા હતા. ત્યારબાદ સરકારે દારૂના વેચાણ પર છૂટ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

દિલ્હી સરકારે નવેમ્બર 2021માં જ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત 849 રિટેલ આઉટલેટ્સને લાઇસન્સ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત લાયસન્સવાળી દુકાનો દારૂની MRP પર ડિસ્કાઉન્ટ અને છૂટ આપી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget