શોધખોળ કરો

દિલ્લીમાં કોરોનાના નવા કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં 94 થયા સંક્રમિત, જાણો કેટલા થયા મૃત્યુ

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં રવિવારે કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 94 લોકો કોરોના સંક્રમિત થયા

નવી દિલ્લી:  રાજધાની દિલ્લીમાં રવિવારે કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 94 લોકો કોરોના સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 7 લોકોએ કોરોનાના કારણે જીવ ગૂમાવ્યો છે.આજે દિલ્લીમાં સંક્રમણનો દર 0.13 નોંઘાયો.

આ પહેલા શનિવારે દિલ્લીમાં 86 કેસ  સામે આવ્યાં અને પાંચ લોકોના મોત થઇ ગયા હતા. દિલ્લીમાં કોરોના સંક્રમણનો દર 0.11 પર હતો. છેલ્લા  24 કલાકમાં 106 લોકો કોરોના સંક્રમણ બાદ સ્વસ્થ થઇને ઘરે ગયા.

દિલ્લીમાં આ નવા કેસની સાથે હવે કોરોના સંક્રમણની ઝપેટમાં આવનાર લોકોની કુલ સંખ્યા 14 લાખ 34 હજાર 554  પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 106 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. રિકવરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના બાદ  સાજા થનારની સંખ્યા 14 લાખ 8 હજાર 567 પર પહોંચી છે. 

દિલ્લીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારનો આંકડો 24,995 પર પહોંચ્યો છે. જો કે રાહતની વાત એ છે કે,  હાલ દિલ્લીમાં કોરોનાના માત્ર 992 એક્ટિવ કેસ છે એટલે કે હજું દિલ્લીમા આટલા લોકો કોરોના સંક્રમિત છે. 

છેલ્લા 24 કલાકમાં કેટલા ટેસ્ટ થયા
રાજધાની દિલ્લીમાં છેલ્લા 24 કલાકની અંદર 75,133 લોકોના ટેસ્ટ થયા. તેમાંથી 52,856 આરટી પીસીઆર ટેસ્ટ, જ્યારે 22,227 રેપિડ એન્ટીજેન  ટેસ્ટ કરવામાં આવ્યાં. દિલ્લીમાં હવે  મૃત્યુ દર 1.74 ટકા આવી ગયો છે. 

અનલોક-6માં શું રહેશે ખુલ્લુ
અનલોક પાર્ટ 6 હેઠળ દિલ્લીમાં સોમવારથી સ્ટેડિયમ,સ્પોર્ટસ કોમ્પેલેક્સ દર્શક વિના ખૂલશે, આ પહેલા દિલ્લીમાં સ્ટેડિયમ અને કોમ્પલેક્સ ખોલવાની ઇજ્જાત ન હતી. જો કે સ્પોર્ટસ્ કોમ્પલેક્સ એ ખેલાડીઓ માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. જે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. આ ખેલાડીની પ્રેકટિસ માટે દર્શકો વિના સ્ટેડિયમ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલવાની મંજૂરી અપાઇ છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43.071 નવા કેસ આવ્યા હતા અને 52,299 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 955 સંક્રમિતોના મોત થયા હતા.    

 દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 12 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 38 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
Embed widget