શોધખોળ કરો

PM Modi Residence: PM નિવાસસ્થાન પર ડ્રોનની માહિતીથી ખળભળાટ, SPG અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (3 જુલાઈ) સવારે લગભગ 5 વાગ્યે, એક વ્યક્તિએ પીએમ હાઉસ પર કંઈક ઉડતું જોઈને કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ.

Drone Over PM Residence: નવી દિલ્હીના ઉચ્ચ સુરક્ષા અને નો ફ્લાઈંગ ઝોનમાં સ્થિત વડા પ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવવાના PCR કોલથી હલચલ મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (3 જુલાઈ) સવારે લગભગ 5 વાગ્યે, એક વ્યક્તિએ પીએમ હાઉસ પર કંઈક ઉડતું જોઈને કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ.

માહિતી બાદ એસપીજીએ તપાસ શરૂ કરી હતી પરંતુ આ દરમિયાન કંઈ મળ્યું નહોતું, ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વડાપ્રધાનનું નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર આવેલું છે અને સમગ્ર વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન હેઠળ આવે છે.

એટીસીનો પણ સંપર્ક કર્યો

દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે તપાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટ (NDD) ના કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાનની નજીક એક અજાણી ઉડતી વસ્તુ વિશે માહિતી મળી હતી. આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી પરંતુ આવી કોઈ વસ્તુ મળી નથી." એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC) )નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ પીએમના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.

વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ 9, લોક કલ્યાણ માર્ગથી છે. પ્રથમ કાર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવી દઈએ કે, પીએમના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે જો તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાન આવાસમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.

ભારતના વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર 7 છે, જે રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે. વડા પ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ 'પંચવટી' છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. 7 લોક કલ્યાણ માર્ગ (અગાઉ 7 RCR) પર રહેતા પ્રથમ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. તેઓ 1984માં અહીં આવ્યા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget