શોધખોળ કરો

Election 2024 Live Update: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ધૂળેટીની ઉજવણી

Election 2024 Live Update: ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે.

LIVE

Key Events
Election 2024 Live Update: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ધૂળેટીની ઉજવણી

Background

Election 2024 Live Update:  લોકસભા પહેલા પ્રદેશ ભાજપને મોટો ઝટકો લાગી શકે છે . ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

નોંધનીય ચે કે, લોકસભાની ચૂંટણી જાહેર થયાને 8 દિવસ થઈ ગયા છે. તેની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે ત્યારે ભાજપે અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે.

થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરતા પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. બીજી બાજુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા તત્પર છે. જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવાજૂની કરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે.

14 માર્ચના રોજ માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. આ સાથે જ તેમની નારાજગીની ચર્ચાઓ શરૂ થઈ હતી.

હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવે છે ની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહોતા. છેલ્લા કેટલાક વખતથી નારાજ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ કંઈક નવાજૂની થાય તેવાં એંધાણના વર્તારા છે.  

14:23 PM (IST)  •  25 Mar 2024

કેજરીવાલની ધરપકડથી AAP ધૂળેટીની ઉજવણી કરશે નહીં. 

આમ આદમી પાર્ટી ધૂળેટીની ઉજવણી કરશે નહીં. કેજરીવાલની ધરપકડથી AAP ધૂળેટીની ઉજવણી કરશે નહીં. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે. ભાજપે ઈલેક્ટોરલ બોન્ડના નામે ફાળો ઉઘરાવ્યો છે. મુદ્દો ભટકાવવા કેજરીવાલની ધરપકડ કરાવી છે. જેલમાંથી પણ કેજરીવાલ સરકાર ચલાવશે તેવો વિશ્વાસ છે. 

14:22 PM (IST)  •  25 Mar 2024

હોળીના રંગમાં રંગાયેલા વિસાવદરના પૂર્વ MLA

હોળીના રંગમાં રંગાયેલા વિસાવદરના પૂર્વ MLA ભુપત ભાયાણીએ કહ્યું કે ગુજરાતમાં એક માત્ર કેસરીયો રંગ જ ચાલે છે. દેશમાં ભગવો રંગ છવાયેલો રહેશે. આમ આદમી પાર્ટીમાં કોઈ રંગ હતો જ નહી. હું AAPમાં હતો ત્યારે પણ મારા મગજમાં ભગવો રંગ જ હતો. જવાહર ચાવડાની નારાજગી મુદ્દે ભુપત ભાયાણીએ કહ્યું કે જવાહર ચાવડા અમારા કદાવર નેતા છે. મને નથી લાગતું કે જવાહર ચાવડા પાર્ટી છોડે. જવાહર ચાવડાના જે કઈ પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવે તેવી આશા છે. 

14:20 PM (IST)  •  25 Mar 2024

ભાવનગર ભાજપ MLA જીતુ વાઘાણી રંગાયા હોળીના રંગમાં

ભાવનગર ભાજપ MLA જીતુ વાઘાણી હોળીના રંગમાં રંગાયા હતા. તેમણે સમર્થકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં વિરોધીઓનો સફાયો થશે. આ લોકસભાની ચૂંટણીમાં NDA 400 બેઠકને પાર થશે. રામના રંગે રંગાવું હોય તો દેશમાં ભાજપ જરૂરી છે. 

14:19 PM (IST)  •  25 Mar 2024

આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે કરી ધૂળેટીની ઉજવણી 

આણંદથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ધૂળેટીની ઉજવણી કરી હતી. વિદ્યાનગરના ખાનગી પ્લોટમાં ધૂળેટીની ઉજવણીમાં MLA યોગેશ પટેલ, કાંતિભાઈ સોઢા પણ હાજર રહ્યા હતા. મિતેશ પટેલે કહ્યું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાએ કૉંગ્રેસે તેની વિચારધારા વ્યક્ત કરી હતી. કૉંગ્રેસના નારાજ નેતાઓ ભાજપના રંગમાં રંગાયા છે. કાંતિભાઈ સોઢા છેલ્લા દોઢ વર્ષથી ભાજપમાં જોડાયા છે. 

14:17 PM (IST)  •  25 Mar 2024

હોળીના રંગમાં રંગાયેલા મનસુખ વસાવાનો મોટો દાવો

હોળીના રંગમાં રંગાયેલા મનસુખ વસાવાએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે  ચૂંટણીમાં ભરૂચ લોકસભા પણ કેસરીયા રંગમાં રંગાશે. કેસરિયા રંગથી પ્રભાવિત થઈ લોકો ભાજપમાં જોડાયા છે.ચૈતર વસાવાના સ્લોગન પર મનસુખ વસાવાએ કહ્યું કે ઘેર ઘેર દીકરો જાય કે ઘેર ઘેર બાપ જાય કોઈ ફરક નથી પડતો. અમે નાટકબાજીમાં નથી માનતા

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget