શોધખોળ કરો

Election Survey : 2024માં UPમાં ફરી ભાજપની બલ્લે બલ્લે, અખિલેશ-માયાનું નાક વઢાશે?

સી વોટર અને ઈન્ડિયા ટુડેએ મૂડ ઓફ ધ નેશન નામનો સર્વે કર્યો છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Lok Sabha Election Survey: લોકસભા ચૂંટણી 2024માં લગભગ 400 દિવસ બાકી છે. તમામ પક્ષો ચૂંટણીને લઈને સક્રિય બની ગયા છે. કહેવાય છે કે દિલ્હીની સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. આ દરમિયાન એક સર્વે એવો સામે આવ્યો છે જેણે ઉત્તર પ્રદેશને સાધવામાં લાગેલા વિરોધ પક્ષોનું ટેન્શન વધારી દીધું છે. સર્વેમાં 2024ની ચૂંટણીમાં વિપક્ષના સૂપડા સાફ થાય તેવો વર્તારો તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં થયો છે.

સી વોટર અને ઈન્ડિયા ટુડેએ મૂડ ઓફ ધ નેશન નામનો સર્વે કર્યો છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વેના આંકડા દર્શાવે છે કે, યુપીમાં ભાજપનું ફરી એકવાર બુલડોઝર ફરી વળશે. ભાજપને ગત વખત કરતા વધુ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.

સર્વેના પરિણામો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક છે. અખિલેશ અને માયાવતીએ ગત ચૂંટણી એકસાથે ગઠબંધન કરીને લડી હતી. જેના કારણે તેઓ પોતાના નાક બચાવવામાં સફળ રહ્યાં હતાં પરંતુ તાજેતરના સર્વે અનુસાર આ વખતે બંનેની કારમી હાર નિશ્ચિત મનાઈ રહી છે. 

2019માં શું આવ્યું હતું પરિણામ?

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં 64 સીટો ભાજપના ખાતામાં ગઈ હતી. જેમાં 62 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે બે બેઠકો અપના દળ-સોનેલાલના ભાગે આવી હતી. સમાજવાદી પાર્ટી અને બસપા એકસાથે ચૂંટણી મેદાનમાં હતા.  પરિણામ એ આવ્યું કે બસપાને 10 બેઠકો મળી જ્યારે સપાને 5 બેઠકો મળી શકી. કોંગ્રેસને 1 બેઠક મળી હતી. SP-BSP સાથે આવવા છતાં 2019માં BJPને 49 ટકા વોટ મળ્યા હતા.

2024માં શું આવશે પરિણામ?

આ વખતે યુપીનું સમીકરણ બદલાયું છે. સપા અને બસપાના રસ્તા અલગ છે. તેની અસર બેઠકો પર પણ પડી રહી છે. જાન્યુઆરી 2023માં જાહેર કરાયેલા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં બીજેપીના નેતૃત્વવાળી એનડીએને 70 સીટો મળી રહી છે. યુપીમાં 5 વર્ષમાં ભાજપની બેઠકો વધી છે. એનડીએના ખાતામાં 70 સીટો ગયા બાદ માત્ર 10 સીટો બચી છે, જેમાં સપા-બસપા અને કોંગ્રેસને વહેંચવી પડશે. આ સ્થિતિમાં વિરોધ પક્ષો માટે પોતાનું નાક બચાવવું પણ મુશ્કેલ બનશે.

દેશમાં કોની બનશે સરકાર?

સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જો આજે ચૂંટણી યોજાય તો કોની સરકાર બનશે? લોકોએ NDAની તરફેણમાં બહુમતી દર્શાવી હતી. ભાજપના નેતૃત્વમાં એનડીએને 298 બેઠકો મળી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે જ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. યુપીએને 153 સીટો મળતી જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget