શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર આયુષ યોજના હેઠળ 50 હજારથી ઓછી આવક હોય તેમનાં ખાતાંમાં રકમ જમા કરાવી રહી છે ? જાણો હકીકત
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સકાર આયુષ યોજના અંતર્ગત લોકોને માસિક સેલરી આપી રહી છે.
નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઇન ફ્રોડની સંખ્યા વધી છે. હવે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. જેમાં દર્શાવાયા મુજબ સાઇબર ગુનેગારો લોકોને સરકારી યોજનાના નામ પર મેસેજ મોકલી ફસાવીને રૂપિયા લૂંટી રહ્યા છે.
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સકાર આયુષ યોજના અંતર્ગત લોકોને માસિક સેલરી આપી રહી છે. જેમાં 50 હજાર રૂપિયાથી ઓછી માસિક સેલરી હોય તેમના ખાતામાં રકમ જમા કરવાની વાત કહેવામાં આવી છે. આ મેસેજની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે. પીઆઈબીએ આ વાયરલ મેસેજ પર ફેક્ટ ચેક કરીને કહ્યું, વાયરલ મેસેજ ફેક છે. ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
RBI એ આ જાણીતી બેંક પર મુક્યો પ્રતિબંધ, 1000 રૂપિયાથી વધુ નહીં ઉપાડી શકે ગ્રાહકો, ખાતાધારકોમાં ફફડાટ
રાશિફળ 20 ફેબ્રુઆરીઃ આ 5 રાશિના જાતકોએ રાખવું પડશે વિશેષ ધ્યાન, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
ગુજરાત
Advertisement