શોધખોળ કરો

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે

બૂમને જાણવા મળ્યું કે મનમોહન સિંહની અંતિમ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને રેવંત રેડ્ડી પણ પરિવારના સભ્યો સાથે આર્મી વાહનમાં હાજર હતા.

CLAIM 
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના કોઈ નેતાએ હાજરી આપી ન હતી.

FACT CHECK
બૂમને જાણવા મળ્યું કે મનમોહન સિંહની અંતિમ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી શબ વાહીનીમાં બેઠાં હતા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ નિગમ બોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.


ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસ મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દાવો કરે છે કે મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના કોઈ નેતાએ હાજરી આપી ન હતી.

બૂમને જાણવા મળ્યું કે દાવો ખોટો છે. મનમોહન સિંહની કોંગ્રેસ મુખ્યાલયથી નિગમ બોધ ઘાટ સુધીની અંતિમ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સેનાના વાહનમાં હાજર હતા. આ સિવાય મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ ઘાટ પર પહોંચ્યા અને તેમને અંતિમ વિદાય આપી હતી.

X પર પૉસ્ટ કરતા એક ડાબેરી યૂઝરે લખ્યું, 'સોનિયાને ભૂલી જાવ, મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં રાહુલ અને પ્રિયંકા પણ હાજર ન હતા. આ રીતે કોંગ્રેસના સભ્યો સાથે છે જેઓ પરિવારના નથી. શીખ મનમોહન સિંહ હોય, બંગાળી બ્રાહ્મણ પ્રણવદા, ઓબીસી સીતારામ કેસરી હોય કે તેલુગુ પીવીએનઆર હોય, તેઓ તેમને નોકર તરીકે જુએ છે.

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે

(અર્કાઇવ લિન્ક)

X પર અંતિમ યાત્રાનો વીડિયો શેર કરતી વખતે એક યૂઝરે લખ્યું, 'સુરક્ષા કર્મચારીઓ સિવાય મનમોહન સિંહ જીની અંતિમ યાત્રામાં અન્ય કોઈ જોવા નહીં મળે. એકપણ કોંગ્રેસી આવ્યો નથી, કોંગ્રેસને માત્ર નકલી ગાંધીઓમાં જ રસ છે.

 

(અર્કાઇવ લિન્ક)

ફેક્ટ ચેક 
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના 28 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ ઘાટ પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પંચતત્વમાં વિલિન થતાં પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમની અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ પર પહોંચી હતી.

ન્યૂઝ રિપોર્ટ અનુસાર, પાર્ટી હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ સુધી મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રેવંત રેડ્ડી પણ કારમાં સવાર હતા. કાફલામાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.

અમને આજતકની યુટ્યુબ ચેનલ પર આનાથી સંબંધિત એક નાનો વીડિયો પણ મળ્યો, જેનું શીર્ષક છે, 'રાહુલ ગાંધીએ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.'

આ ઉપરાંત, અમને X પર ડેક્કન ક્રૉનિકલની એક પૉસ્ટ મળી જેમાં કહેવામાં આવ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.

આ દરમિયાન કોંગ્રેસના ઘણા કાર્યકરો પગપાળા અંતિમયાત્રામાં ભાગ લઈ રહ્યા હતા. વળી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી અને અન્ય કોંગ્રેસના નેતાઓ નિગમબોધ ઘાટ પહોંચ્યા અને મનમોહન સિંહને અંતિમ વિદાય આપી. કોંગ્રેસે તેના X હેન્ડલ પરથી તેની તસવીરો શેર કરી છે.

આ સિવાય ન્યૂઝ એજન્સી ANIના વીડિયોમાં રાહુલ ગાંધી નિગમબોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે.

ANIના અન્ય એક વીડિયોમાં મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌર અને તેમની પુત્રી દમન સિંહ સિવાય, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કારમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.

અંતિમ સંસ્કાર દરમિયાન રાહુલ ગાંધી પણ મનમોહન સિંહના પાર્થિવ દેહને ખભો આપતાં જોવા મળ્યા હતા.

મનમોહન સિંહની અંતિમ વિદાયનો સમગ્ર કાર્યક્રમ કોંગ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક બૂમે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget