શોધખોળ કરો

Fact Check: કેનેડા-ખાલિસ્તાન વિવાદ બાદ રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવવામાં આવ્યા શીખ સુરક્ષાકર્મીઓ? જાણો આ દાવાઓ પાછળનું સત્ય?

આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી

આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે તેમાં ભારતીય એજન્ટોની સંડોવણી સંભવ છે. આ પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધ્યો હતો. દરમિયાન, સોશિયલ મીડિયા એક્સ (અગાઉન ટ્વિટર) પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના રાષ્ટ્રપતિ ભવનમાંથી શીખ સુરક્ષા કર્મચારીઓને હટાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ પોસ્ટની હકીકત તપાસી ત્યારે આ દાવો ખોટો સાબિત થયો હતો.

મેસેજમાં કર્યો દાવો કરવામાં આવી રહ્યો છે?

વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેને @salmanbelieve નામના યુઝરના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈન્દિરા ગાંધી અને અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. આ સાથે અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે કે, "શું મોદી આગામી ઈન્દિરા બની શકે છે? નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી અંગે જસ્ટિન ટ્રુડોના ભાષણ અને શીખ સમુદાયમાં ગુસ્સા પછી શીખ સૈનિકોને જબરદસ્તી રજા પર મોકલવામા આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્દિરા ગાંધીની જેમ જ શીખ સમુદાયના સુરક્ષા કર્મચારીઓને પણ હત્યાના ડરથી રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

આ વિશે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે આવો સરકારી આદેશ ક્યારેય કરવામાં આવ્યો નથી.  

જો કે દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જોવા મળ્યું કે ભારતીય સેનાના સત્તાવાર એકાઉન્ટ ADG PI - INDIAN ARMY ના એકાઉન્ટમાંથી શીખ સુરક્ષા કર્મચારીઓને હટાવવા અંગેની પોસ્ટનો ફોટો શેર કરતા લખ્યું હતું કે છે કે, "સોશિયલ મીડિયા પર દુશ્મન એજન્ટો દ્વારા ભારતીય સેનાના જવાનો વિશે નકલી સંદેશાઓ અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવા નકલી સમાચારોથી પોતાને બચાવો."

દરમિયાન પીઆઈબી ફેક્ટ ચેકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આને લગતી પોસ્ટ મળી હતી.  PIB ફેક્ટ ચેકની આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "એવો દાવો કરવામાં આવે છે કે શીખ નેતા હરદીપ સિંહની હત્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં શીખ સુરક્ષાકર્મીઓને બદલી દેવામાં આવ્યા છે અને આર્મી શીખ સૈનિકોને રજા આપવાનો ઈનકાર કરી રહી છે." PIB ફેક્ટ ચેકે આગળ લખ્યું હતું કે  "આ દાવો નકલી છે અને વૈમનસ્યતા પેદા કરવાના ઈરાદાથી શેર કરવામાં આવ્યો છે. આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી." નોંધનીય છે કે PIB એક સરકારી માહિતી એજન્સી છે જે સરકારને લગતી ભ્રામક અને નકલી માહિતી વિશે સાચી અને નક્કર માહિતી પ્રદાન કરે છે.

ફેક્ટ ચેકથી જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાંથી શીખ સુરક્ષા કર્મચારીઓને હટાવવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી. ભારતીય સેનાએ આ દાવાને નકારી કાઢ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાતJamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યોGujarat Police Action : ગુજરાતમાં ગુંડાઓની ખેર નથી! વૈભવી પેલેસ પર ચાલ્યું બુલડોઝરUSA GreenCard News: માત્ર ગ્રીનકાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો આવી બનશે, ટ્રમ્પની નવી નિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
Embed widget