શોધખોળ કરો

PM મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવનાર લેખક આતિશ તાસીરનુ OCI કાર્ડ કરાયું રદ્દ, જાણો કેમ

આતિશ તાસીરે લોકસભાની ચૂંટણી પહેલા ટાઈમ મેગેઝિનમાં એક આર્ટિકલ લખ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવ્યા હતા.

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા ટાઈમ મેગેઝિનમાં એક વિવાદાસ્પદ લેખ લખીને વડાપ્રધાન મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવનાર લેખક-પત્રકાર આતિશ તાસીરનુ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(OCI)નુ કાર્ડ રદ્દ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકતા અધિનિયમ 1955 અનુસાર, તાસીરને ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે, કારણ કે તેમણે પોતાના પિતા પાકિસ્તાની મૂળના હોવાની વાત નાગરિકતા માટે એપ્લાય કરતી વખતે છુપાવી હતી. ઓસીઆઈ કાર્ડ કોઈ એવા વ્યક્તિને આપવામાં નથી આવતું જેમના માતા પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય. જો કે, ગૃહ મંત્રાલયે એ વાતની સ્પષ્ટતા કરતા કહ્યું કે, ટાઈમ મેગઝિનમાં પીએમ મોદી વિશે લખેલા આર્ટિકલ બાદ તાસીરનું ઓસીઆઈ કાર્ડને રદ્દ કરવામાં આવ્યું નથી. તાસીરે પોતાના પિતા પાકિસ્તાની હોવાની જાણકારી આપી નહોતી. ગૃહ મંત્રાલય દ્વારા પોતાનો ઓસીઆઈ કાર્ડ રદ્દ કરવા પર પ્રતિક્રિયા આપતા આતિશ તાસીરે ટ્વીટ કરી કહ્યું કે તેને જવાબ આપવા માટે 21 દિવસ નહીં, પણ માત્ર 24 કલાક જ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આતિશ પાકિસ્તાનના દિવંગત નેતા સલમાન તાસીર અને ભારતના પત્રકાર તવલનસિંહનો પુત્ર છે. તેમના પિતા પાકિસ્તાના પંજાબના ગવર્નર હતા. જેમની 2011માં ધર્મનિંદાના આરોપસર એક સુરક્ષા કર્મીએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. શું છે ઑવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા કાર્ડ ? નાગરિકતા કાયદા પ્રમાણે ભારતમાં બે નાગરિકતા માન્ય નથી. જો કે સતત ઉઠી રહેલી માંગ બાદ તેના વિકલ્પ તરીકે ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા કાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા ભારતીય મૂળના વિદેશી નાગરીકો ભારતમાં વગર વીઝા આવવા અને અનિશ્ચિતકાળ સુધી કામ કરવાની મંજૂરી મળી જતી હતી. આતિશ તાસીર પણ ઓસીઆઈ કાર્ડધારક હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget