શોધખોળ કરો
Advertisement
અખાડા પરિષદની જાહેરાત- અયોધ્યા બાદ કાશી-મથુરાના મંદિરોને મુક્ત કરાવીશું
કેન્દ્ર અને રાજ્યમાં હિંદુ સરકાર છે અને આ માટે આનાથી સારો સમય હોઇ શકે નહીં
નવી દિલ્હીઃઅખિલ ભારતીય અખાડા પરિષદે અયોધ્યા મુદ્દા પર સમાધાન બાદ મથુરા અને કાશીના મંદિરોની મુક્તિ માટે અભિયાન ઝડપી કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી આઇએએનએસના મતે એબીએપીના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ ગુરુવારે કહ્યું કે, મસ્જિદોના નિર્માણ માટે કાશી અને મથુરામાં મંદિરોને ધ્વસ્ત કરી દીધા. અમે આ મુદ્દાને ઉઠાવીશું અને સુનિશ્વિત કરીશું કે આ સ્થાનો પર ભવ્ય મંદિર બનાવામાં આવે. કેન્દ્ર અને રાજ્યમાં હિંદુ સરકાર છે અને આ માટે આનાથી સારો સમય હોઇ શકે નહીં.
મહંતે કહ્યુ કે, કાશી અને મથુરાને મુક્ત કરવાની માંગ ખૂબ સમયથી થઇ રહી છે. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અયોધ્યામાં કોર્ટનો નિર્ણય રામ મંદિરના પક્ષમાં આવશે. મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોના વ્યવહારમાં હતાશા સ્પષ્ટ દેખાઇ રહી હતી. ABAPના પ્રમુખે મુસલમાનોને રાષ્ટ્રહિતમાં કાશી અને મથુરા પર પોતાનો દાવો છોડવા માટે કહ્યુ છે. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ આ બંન્ને સ્થળો પર ભવ્ય મંદિરોના નિર્માણ માટે સમર્થન કરવું જોઇએ.
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં જ્ઞાનવાપી મસ્જિદ દ્ધારા આંશિક રીતે દબાણ કર્યું છે. આ સ્થાન પર મૂળ કાશી વિશ્વનાથ મંદિરને નષ્ટ કરીને ઔરંગઝેબ દ્ધારા 1669માં મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આ સાથે જ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પાસે શાહી ઇદગાહ પણ લાંબા સમયથી રડાર પર છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion