શોધખોળ કરો

Jnanpith Award: જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત, બોલિવૂડના દિગ્ગજ ગીતકાર ઉપરાંત રામભદ્રાચાર્યને મળશે સન્માન

Jnanpith Award: જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી કે આ બંનેને 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

Jnanpith Award: જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી કે આ બંનેને 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, ગુલઝાર પહેલાથી જ હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાં પણ ગણવામાં આવે છે. આ પહેલા તેમને 2002માં ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2013માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, 2004માં પદ્મ ભૂષણ અને ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળી ચૂક્યા છે.

ગુલઝારની મુખ્ય રચનાઓમાં 'ચાંદ પુખરાજ કા', 'રાત પશ્મીને કી' અને 'પંદ્રાહ પાંચ પચાહત્તર'નો સમાવેશ થાય છે. તેમનું પૂરું નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. ગુલઝારનો જન્મ 18 ઓગસ્ટ, 1934ના રોજ અવિભાજિત ભારતમાં જેલમ જિલ્લાના દેના ગામમાં થયો હતો. તેમની માતાનું અવસાન નાની ઉંમરે થયું હતું, પિતા માખન સિંહ નાના વેપારી હતા. 12માં નાપાસ થયેલા ગુલઝારને સાહિત્યમાં ઊંડો રસ હતો. રવીન્દ્રનાથ ટાગોર અને શરતચંદ્ર તેમના પ્રિય લેખકો હતા.

 

રામભદ્રાચાર્ય, ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા, એક પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન, શિક્ષક અને 100 થી વધુ પુસ્તકોના લેખક છે. યુપીના જૌનપુરના ખાંડીખુર્દ ગામમાં 1950માં જન્મેલા રામભદ્રાચાર્ય રામાનંદ સંપ્રદાયના વર્તમાન ચાર જગદગુરુ રામાનંદાચાર્યમાંના એક છે. તેઓ 1988થી આ પદ પર છે. તે 22 ભાષાઓ બોલે છે અને સંસ્કૃત, હિન્દી, અવધિ, મૈથિલી સહિતની ઘણી ભાષાઓના લેખક છે. 2015માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ (2023 માટે) બે ભાષાઓના પ્રતિષ્ઠિત લેખકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે. ગોવાના લેખક દામોદર મૌજોને 2022 માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.

જ્ઞાનપીઠ પુરસ્કાર શું છે?

તમને જણાવી દઈએ કે જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને પ્રથમવાર 1965માં મલયાલમ કવિ જી. શંકર કુરુપને આ પુરસ્કાર તેમના કામ ઓડકુઝલ માટે આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ફક્ત ભારતના નાગરિકને જ આપવામાં આવે છે, જે આઠમી સૂચિમાં ઉલ્લેખિત 22 ભાષાઓમાંથી કોઈપણમાં લખે છે. આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget