શોધખોળ કરો

Jnanpith Award: જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત, બોલિવૂડના દિગ્ગજ ગીતકાર ઉપરાંત રામભદ્રાચાર્યને મળશે સન્માન

Jnanpith Award: જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી કે આ બંનેને 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

Jnanpith Award: જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી કે આ બંનેને 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, ગુલઝાર પહેલાથી જ હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાં પણ ગણવામાં આવે છે. આ પહેલા તેમને 2002માં ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2013માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, 2004માં પદ્મ ભૂષણ અને ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળી ચૂક્યા છે.

ગુલઝારની મુખ્ય રચનાઓમાં 'ચાંદ પુખરાજ કા', 'રાત પશ્મીને કી' અને 'પંદ્રાહ પાંચ પચાહત્તર'નો સમાવેશ થાય છે. તેમનું પૂરું નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. ગુલઝારનો જન્મ 18 ઓગસ્ટ, 1934ના રોજ અવિભાજિત ભારતમાં જેલમ જિલ્લાના દેના ગામમાં થયો હતો. તેમની માતાનું અવસાન નાની ઉંમરે થયું હતું, પિતા માખન સિંહ નાના વેપારી હતા. 12માં નાપાસ થયેલા ગુલઝારને સાહિત્યમાં ઊંડો રસ હતો. રવીન્દ્રનાથ ટાગોર અને શરતચંદ્ર તેમના પ્રિય લેખકો હતા.

 

રામભદ્રાચાર્ય, ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા, એક પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન, શિક્ષક અને 100 થી વધુ પુસ્તકોના લેખક છે. યુપીના જૌનપુરના ખાંડીખુર્દ ગામમાં 1950માં જન્મેલા રામભદ્રાચાર્ય રામાનંદ સંપ્રદાયના વર્તમાન ચાર જગદગુરુ રામાનંદાચાર્યમાંના એક છે. તેઓ 1988થી આ પદ પર છે. તે 22 ભાષાઓ બોલે છે અને સંસ્કૃત, હિન્દી, અવધિ, મૈથિલી સહિતની ઘણી ભાષાઓના લેખક છે. 2015માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ (2023 માટે) બે ભાષાઓના પ્રતિષ્ઠિત લેખકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે. ગોવાના લેખક દામોદર મૌજોને 2022 માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો.

જ્ઞાનપીઠ પુરસ્કાર શું છે?

તમને જણાવી દઈએ કે જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને પ્રથમવાર 1965માં મલયાલમ કવિ જી. શંકર કુરુપને આ પુરસ્કાર તેમના કામ ઓડકુઝલ માટે આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ફક્ત ભારતના નાગરિકને જ આપવામાં આવે છે, જે આઠમી સૂચિમાં ઉલ્લેખિત 22 ભાષાઓમાંથી કોઈપણમાં લખે છે. આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Embed widget