મહાકુંભમાં સ્નાન કરવા યોગ્ય નથી સંગમનું પાણી, CPCBએ NGTને આપ્યો રિપોર્ટ
પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પાણીની મૂળભૂત ગુણવત્તાને અનુરૂપ નથી

Maha Kumbh 2025: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના એક રિપોર્ટના માધ્યમથી સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પાણીની મૂળભૂત ગુણવત્તાને અનુરૂપ નથી. સીપીસીબી અનુસાર, ગંદા પાણીના દૂષણનું સૂચક 'ફેકલ કોલિફોર્મ' ની મર્યાદા પ્રતિ 100 મિલી 2500 યુનિટ છે.
એનજીટી અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ. સેન્થિલ વેલની બેન્ચ પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબીએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં ચોક્કસ પાલન ન થયું હોય અથવા ઉલ્લંઘનો તરફ ઇશારો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'નદીની પાણીની ગુણવતા વિવિધ અવસરો પર તમામ દેખરેખ સ્થળો પર ગંદા પાણી ‘ફેકલ કોલીફોર્મ’ના સંબંધમાં સ્નાન માટે ગુણવતાના અનુરૂપ નથી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે.
બેન્ચે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB) એ વ્યાપક કાર્યવાહી રિપોર્ટ દાખલ કરવા માટે NGTના અગાઉના નિર્દેશનું પાલન કર્યું નથી. NGTએ જણાવ્યું હતું કે UPPCB એ ફક્ત પાણીના કેટલાક રિપોર્ટ્સ સાથે પત્ર દાખલ કર્યો હતો.
NGT એ એક દિવસનો સમય આપ્યો
બેન્ચે કહ્યું હતું કે, 'યુપીપીસીબીની સેન્ટ્રલ લેબોરેટરીના ઇન્ચાર્જ દ્વારા 28 જાન્યુઆરીના રોજ મોકલવામાં આવેલા પત્ર સાથે જોડાયેલા દસ્તાવેજોની સમીક્ષામાં પણ જાણવા મળ્યું છે કે વિવિધ સ્થળોએ ગંદા પાણીનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે.'NGT એ ઉત્તર પ્રદેશ રાજ્યના વકીલને રિપોર્ટ વાંચવા અને જવાબ દાખલ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો.
બેન્ચે કહ્યું હતું કે ' સભ્ય સચિવ, યુપીપીસીબી અને પ્રયાગરાજમાં ગંગા નદીમાં પાણીની ગુણવત્તા જાળવવા માટે જવાબદાર સંબંધિત રાજ્ય સત્તામંડળને 19 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણીમાં ડિજિટલ રીતે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવે છે.'





















