શોધખોળ કરો

Pralay On LAC: ચીન સાથે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની કવાયત, રાફેલ-સુખોઇ બતાવશે તાકાત

આ યુદ્ધ અભ્યાસને 'પ્રલય' નામ આપવામાં આવ્યું છે. વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મુખ્ય એરબેઝ પરથી કવાયત હાથ ધરવામાં આવશે

Pralay Exercise On LAC: ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય એરફોર્સ ઉત્તરપૂર્વ ભારતમાં એક મોટી કવાયત કરવા જઈ રહી છે. આ યુદ્ધ અભ્યાસને 'પ્રલય' નામ આપવામાં આવ્યું છે. વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મુખ્ય એરબેઝ પરથી કવાયત હાથ ધરવામાં આવશે.  તાજેતરમાં તૈનાત ‘ડ્રોન સ્ક્વોડ્રન’ પણ તેનો એક ભાગ હશે.

S-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન પણ તૈનાત

‘પ્રલય’ એક્સરસાઇઝ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતીય વાયુસેનાએ પૂર્વ સેક્ટરમાં S-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન તૈનાત અને એક્ટિવ કરી છે, જે 400 કિમીની અંદર દુશ્મનના કોઈપણ વિમાન અથવા મિસાઈલને દૂરથી નષ્ટ કરી શકે છે. દુનિયાના બહુ ઓછા દેશો પાસે આ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારતે આ સોદો રશિયા સાથે અબજો ડોલરમાં કર્યો છે.

તાજેતરના મહિનાઓમાં બીજી કમાન્ડ-લેવલ કવાયત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાની 'પ્રલય' કવાયતમાં પરિવહન અને અન્ય વિમાનો તેમજ રાફેલ અને સુખોઈ-30 સહિતના અનેક ફાઈટર જેટ્સ જોવા મળશે. તાજેતરના મહિનાઓમાં IAF દ્વારા કરવામાં આવી રહેલી આ બીજી કમાન્ડ-લેવલ કવાયત છે.

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ સિક્કિમ અને સિલીગુડી કોરિડોર સેક્ટરમાં પ્રતિકૂળ ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે તેની ક્ષમતાઓને વધારવા માટે અન્ય બેઝ પરથી ડ્રોનની એક ટુકડીને ઉત્તર-પૂર્વમાં સ્થાનાંતરિત કરી છે.

અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું કે ચીન ડોકલામ ક્ષેત્રમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યું છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ તેના પર સતત નજર રાખી રહી છે.

શિલોંગમાં ભારતીય વાયુસેનાના પૂર્વીય વાયુ કમાન્ડ પાસે ચીનની સરહદ તેમજ સમગ્ર ઉત્તરપૂર્વમાં દેખરેખ માટે એરફિલ્ડ છે અને ઘણી વખત જ્યારે ચીની વિમાનો LACની ખૂબ નજીકથી ઉડવાની અથવા ભારતીય સ્થિતિ તરફ જવાનો પ્રયાસ કરે છે ત્યારે ફાઇટર પ્લેન તેમનો પીછો કરે છે.

Jammu Kashmir Blast: જમ્મુના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને સવાલ

Blast In Jammu: જમ્મુના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોચીને તપાસ શરૂ કરી છે.

જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ વિસ્ફોટમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget