![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'સંવિધાન બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો', કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાના નિવેદ પર મચ્યો હોબાળો
પાર્ટીના કાર્યકરોને સંબોધતા પટેરિયા કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખતમ કરશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે લોકોને વિભાજિત કરશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે.
!['સંવિધાન બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો', કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાના નિવેદ પર મચ્યો હોબાળો 'If you want to save the constitution, be ready to kill Modi', former Congress MLA Raja Pateria's statement created a ruckus, now this clarification 'સંવિધાન બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો', કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાના નિવેદ પર મચ્યો હોબાળો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/2392cb299b5d6acc1616306e139b8135167082844286275_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress Raja Pateria: મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમની હત્યાની વાત કરી છે. પટરિયાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, મામલાને ગંભીરતાથી લેતા, મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પટેરિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
પટરિયાએ નિવેદનને લઈને હોબાળો થતાં હવે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે હું મોદીને ચૂંટણીમાં હરાવવાની વાત કરી રહ્યો હતો. જેમાં હત્યાનો કોઈ ઉલ્લેખ નહોતો. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. બીજી તરફ પટેરિયાના વાયરલ થયેલા વીડિયોની વાત કરીએ તો તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરતા સાંભળવા મળે છે.
બંધારણ બચાવવું હોય તો પીએમ મોદીનું... - પટરિયા
પાર્ટીના કાર્યકરોને સંબોધતા પટેરિયા કહે છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખતમ કરશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે લોકોને વિભાજિત કરશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે. જો બંધારણને બચાવવું હશે તો. મોદીને મારવા માટે તૈયાર રહો.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પટરિયાનો આ વાયરલ વીડિયો પન્ના જિલ્લાના પવઈનો છે.
ઈટાલીની કોંગ્રેસ બની ગઈ છે - નરોત્તમ મિશ્રા
આ અંગે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, "આ ફાસીવાદી માનસિકતા ધરાવતું નિવેદન છે. કોંગ્રેસ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી રહી પરંતુ ઈટાલીની કોંગ્રેસ બની ગઈ છે. અને આ મુદ્દે જ વાત જ કેમ કરવી.... એક મહિનો અગાઉ રાષ્ટ્રીય અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહ્યા હતા. સોનિયા ગાંધીએ તેમને મોતના સોદાગર કહ્યા હતા તો બીજી તરફ સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર જેવા લોકો ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા છે તો તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય. તેમણે વધુમાં કહ્યું કે, આ પાર્ટી ટુકડે-ટુકડે માનસિકતાની બની ગઈ છે. પટેરિયાની સફાઈ પર નરોત્તમ મિશ્રાએ કહ્યું, "હત્યા એવો શબ્દ નથી જે આ રીતે વાપરી શકાય. રાજકારણમાં હત્યા શબ્દનો ક્યાં ઉપયોગ થાય છે? મેં એસપીને આદેશ આપ્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે આજે જ પટરિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે.”
પટેરિયાએ પોલીસ અધિકારીને ધમકી આપી હતી
આ પહેલીવાર નથી જ્યારે પટેરિયા વિવાદોમાં ફસાયા હોય. અગાઉ દમોહમાં આદિવાસીઓનો પક્ષ લેતા તેણે પોલીસ અધિકારીને ફોન પર ધમકી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પોલીસ અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે જો આદિવાસીઓ નહીં સાંભળે તો તેઓ તેમને નક્સલવાદી બનાવી દેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)