શોધખોળ કરો

Independence Day 2023: આઝાદીથી લઇને અત્યાર સુધીમાં કેટલી વખત બદલાયો રાષ્ટ્રધ્વજ, જાણો તિરંગાનો ઇતિહાસ?

Independence Day 2023: 15 ઓગસ્ટ, 2023ના રોજ દેશની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

Independence Day 2023: 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આપણે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજનો ઈતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. આ તિરંગા માટે અનેક વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આવી સ્થિતિમાં અમે તમને રાષ્ટ્રધ્વજના અસ્તિત્વમાં આવવાનો ઇતિહાસ જણાવી રહ્યા છીએ. 1906 થી રાષ્ટ્રીય ધ્વજનું સ્વરૂપ ઘણી વખત બદલાયું છે.

15 ઓગસ્ટ, 2023ના રોજ દેશની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષે ભારત 'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે.

પ્રથમ રાષ્ટ્રધ્વજ-1906

7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) ખાતે પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જે હવે કોલકાતા કહેવાય છે. આ ધ્વજ લાલ, પીળા અને લીલા રંગની આડી પટ્ટાઓમાંથી બનાવવામાં આવ્યો હતો. ટોચ પર લીલો, મધ્યમાં પીળો અને નીચે લાલ હતો. આ સાથે તેમાં કમળના ફૂલ અને ચંદ્ર-સૂર્ય પણ બનાવવામાં આવ્યા હતા.

બીજો રાષ્ટ્રધ્વજ-1907

ભારતનો પ્રથમ બિનસત્તાવાર ધ્વજ લાંબો સમય ટકી શક્યો નહીં અને બીજા જ વર્ષે ભારતને નવો રાષ્ટ્રધ્વજ મળ્યો. પેરિસમાં મેડમ કામા અને તેમની સાથે 1907માં દેશનિકાલ કરાયેલા કેટલાક ક્રાંતિકારીઓએ બીજો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જોકે, ઘણા લોકોનું કહેવું છે કે આ ઘટના 1905માં બની હતી. તે પણ પ્રથમ ધ્વજ જેવો જ હતું. આ રાષ્ટ્રધ્વજમાં ચંદ્ર તારા વગેરે પણ  હતા. તેમજ તેમાં ત્રણ રંગ કેસરી, લીલો અને પીળો પણ સામેલ છે. બાદમાં એક કોન્ફરન્સ દરમિયાન તેને બર્લિનમાં પણ લહેરાવવામાં આવ્યો હતો.

ત્રીજો રાષ્ટ્રધ્વજ-1917

ત્રીજો ધ્વજ 1917માં આવ્યો હતો. તેને ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે લહેરાવ્યો હતો. આ ધ્વજમાં એક પછી એક પાંચ લાલ અને 4 લીલા આડા પટ્ટાઓ અને તેના પર સપ્તઋષિના અભિમુખતામાં સાત તારા બનાવવામાં આવ્યા હતા. ઉપરની ડાબી બાજુએ (સ્તંભ તરફ) યુનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્રાકાર અને તારો પણ હતો.

ચોથો રાષ્ટ્રધ્વજ-1921

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન ચોથો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો. આ કાર્યક્રમ વર્ષ 1921માં બેઝવાડા (હાલના વિજયવાડા)માં કરવામાં આવ્યો હતો. તે બે રંગો (લાલ અને લીલો) થી બનેલો હતો.  આ ધ્વજ બે મુખ્ય સમુદાયો એટલે કે હિન્દુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે.

પાંચમો રાષ્ટ્રધ્વજ-1931

ભારતનો ચોથો રાષ્ટ્રધ્વજ 1921 માં બનાવવામાં આવ્યો હતો, જે 10 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યો. 1931માં ભારતને ફરી એકવાર નવો રાષ્ટ્રધ્વજ મળ્યો. ચોથા રાષ્ટ્રધ્વજની જેમ પાંચમા રાષ્ટ્રધ્વજમાં પણ ચરખાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું. આ વખતે રંગો બદલાયા. ચરખાની સાથે સાથે કેસરી, સફેદ અને લીલા રંગનો સંગમ હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) એ આ ધ્વજને ઔપચારિક રીતે અપનાવ્યો.

પહેલા તિરંગો અલગ હતો?

આપણા રાષ્ટ્રધ્વજને તેના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચવા માટે ઘણા તબક્કાઓમાંથી પસાર થવું પડ્યું હતું. એક સ્વરૂપ રાજકીય વિકાસ દર્શાવે છે. આપણા રાષ્ટ્રધ્વજના વિકાસમાં કેટલાક ઐતિહાસિક સીમાચિહ્નો પણ આવ્યા.

ધ્વજ બનાવવામાં 5 વર્ષ લાગ્યા હતા

વર્તમાન તિરંગાને આંધ્ર પ્રદેશના પિંગલી વેકૈયાએ ડિઝાઇન કર્યો હતો. સૈન્યમાં કામ કરી ચૂકેલા પિંગલી વેકૈયાને મહાત્મા ગાંધીએ આ જવાબદારી સોંપી હતી. બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં કામ કરતા પિંગલી વેકૈયા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને મળ્યા હતા. આ દરમિયાન વેકૈયાએ અલગ રાષ્ટ્રધ્વજ હોવાની વાત કરી હતી, જે ગાંધીજીને ખૂબ ગમ્યું હતું. આ ધ્વજને બનાવવામાં પાંચ વર્ષ લાગ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
Embed widget