શોધખોળ કરો

New Rules : વિદેશથી ભારત આવી રહેલા મુસાફરો માટે રાહતના સમાચાર, આ ઝંઝટમાંથી મળશે છુટકારો

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું.

New Rules For International Passengers:દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઘટાડા વચ્ચે સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા' ફોર્મ ભરવાની ફરજિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત માર્ગદર્શિકા મંગળવાર, 22 નવેમ્બરથી અમલીબનાવામાં આવી છે.

સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડોક્યુમેન્ટની કાર્યવાહીની ઝંઝટમાંથી થોડી રાહત મળશે છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનાર એક મુસાફરે કહ્યું- એર ફેસિલિટી ફોર્મ ભરવાની પ્રક્રિયાને દૂર કરવાથી મુસાફરી થોડી સરળ બની છે. શારજાહથી દિલ્હી પરત ફરેલા હીરા સિંહે કહ્યું હતું કે, કોવિડની સ્થિતિમાં સુધારો થયો છે. હવે ઓથોરિટી દ્વારા મુસાફરોને વધારે પડતા પેપરવર્ક માટે બોલાવતા નથી. હવે મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની છે. તો બાલીથી પરત આવેલા અવિનાશ શ્રીખંડેએ કહ્યું હતું કે, હવે મુસાફરો માટે બહાર નીકળવું સરળ બન્યું છે. અગાઉ દસ્તાવેજીકરણનું ઘણું કામ હતું.

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. ગત અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, હવાઈ મુસાફરોએ તેમના દેશમાં કોવિડ -19 સામે રસીકરણના મંજૂર સમયપત્રક અનુસાર રસી મેળવવી જોઈએ. માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ આગમન સમયે સોશિયલડિસ્ટન્સની ખાતરી કરવી આવશ્યક છે અને પ્રવેશ સ્થળે આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ક્રિનિંગ દરમિયાન લક્ષણો જોવા મળતા મુસાફરોને તરત જ અલગ કરવામાં આવશે. આરોગ્ય પ્રોટોકોલ મુજબ નિયુક્ત મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવશે. રોગચાળાને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ 25 માર્ચ 2020થી બે મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ તે દિવસથી જ સ્થગિત કરવામાં આવી હતી, જે આ વર્ષે 27 માર્ચથી ફરી યથાવત કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget