શોધખોળ કરો

New Rules : વિદેશથી ભારત આવી રહેલા મુસાફરો માટે રાહતના સમાચાર, આ ઝંઝટમાંથી મળશે છુટકારો

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું.

New Rules For International Passengers:દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઘટાડા વચ્ચે સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા' ફોર્મ ભરવાની ફરજિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત માર્ગદર્શિકા મંગળવાર, 22 નવેમ્બરથી અમલીબનાવામાં આવી છે.

સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડોક્યુમેન્ટની કાર્યવાહીની ઝંઝટમાંથી થોડી રાહત મળશે છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનાર એક મુસાફરે કહ્યું- એર ફેસિલિટી ફોર્મ ભરવાની પ્રક્રિયાને દૂર કરવાથી મુસાફરી થોડી સરળ બની છે. શારજાહથી દિલ્હી પરત ફરેલા હીરા સિંહે કહ્યું હતું કે, કોવિડની સ્થિતિમાં સુધારો થયો છે. હવે ઓથોરિટી દ્વારા મુસાફરોને વધારે પડતા પેપરવર્ક માટે બોલાવતા નથી. હવે મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની છે. તો બાલીથી પરત આવેલા અવિનાશ શ્રીખંડેએ કહ્યું હતું કે, હવે મુસાફરો માટે બહાર નીકળવું સરળ બન્યું છે. અગાઉ દસ્તાવેજીકરણનું ઘણું કામ હતું.

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. ગત અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, હવાઈ મુસાફરોએ તેમના દેશમાં કોવિડ -19 સામે રસીકરણના મંજૂર સમયપત્રક અનુસાર રસી મેળવવી જોઈએ. માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ આગમન સમયે સોશિયલડિસ્ટન્સની ખાતરી કરવી આવશ્યક છે અને પ્રવેશ સ્થળે આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ક્રિનિંગ દરમિયાન લક્ષણો જોવા મળતા મુસાફરોને તરત જ અલગ કરવામાં આવશે. આરોગ્ય પ્રોટોકોલ મુજબ નિયુક્ત મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવશે. રોગચાળાને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ 25 માર્ચ 2020થી બે મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ તે દિવસથી જ સ્થગિત કરવામાં આવી હતી, જે આ વર્ષે 27 માર્ચથી ફરી યથાવત કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget