શોધખોળ કરો

New Rules : વિદેશથી ભારત આવી રહેલા મુસાફરો માટે રાહતના સમાચાર, આ ઝંઝટમાંથી મળશે છુટકારો

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું.

New Rules For International Passengers:દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઘટાડા વચ્ચે સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા' ફોર્મ ભરવાની ફરજિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત માર્ગદર્શિકા મંગળવાર, 22 નવેમ્બરથી અમલીબનાવામાં આવી છે.

સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડોક્યુમેન્ટની કાર્યવાહીની ઝંઝટમાંથી થોડી રાહત મળશે છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનાર એક મુસાફરે કહ્યું- એર ફેસિલિટી ફોર્મ ભરવાની પ્રક્રિયાને દૂર કરવાથી મુસાફરી થોડી સરળ બની છે. શારજાહથી દિલ્હી પરત ફરેલા હીરા સિંહે કહ્યું હતું કે, કોવિડની સ્થિતિમાં સુધારો થયો છે. હવે ઓથોરિટી દ્વારા મુસાફરોને વધારે પડતા પેપરવર્ક માટે બોલાવતા નથી. હવે મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની છે. તો બાલીથી પરત આવેલા અવિનાશ શ્રીખંડેએ કહ્યું હતું કે, હવે મુસાફરો માટે બહાર નીકળવું સરળ બન્યું છે. અગાઉ દસ્તાવેજીકરણનું ઘણું કામ હતું.

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. ગત અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, હવાઈ મુસાફરોએ તેમના દેશમાં કોવિડ -19 સામે રસીકરણના મંજૂર સમયપત્રક અનુસાર રસી મેળવવી જોઈએ. માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ આગમન સમયે સોશિયલડિસ્ટન્સની ખાતરી કરવી આવશ્યક છે અને પ્રવેશ સ્થળે આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ક્રિનિંગ દરમિયાન લક્ષણો જોવા મળતા મુસાફરોને તરત જ અલગ કરવામાં આવશે. આરોગ્ય પ્રોટોકોલ મુજબ નિયુક્ત મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવશે. રોગચાળાને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ 25 માર્ચ 2020થી બે મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ તે દિવસથી જ સ્થગિત કરવામાં આવી હતી, જે આ વર્ષે 27 માર્ચથી ફરી યથાવત કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.