શોધખોળ કરો

India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તાજેતરમાં ટેરિફ વિવાદને કારણે તણાવ જોવા મળી રહ્યો છે.

India US trade tensions: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હોવાના અહેવાલો વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે મહત્વની સ્પષ્ટતા કરી છે. મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટ દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત ટ્રમ્પના આ પગલાના જવાબમાં કોઈ વળતી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું નથી. તેના બદલે, બંને દેશો વચ્ચે વેપાર સંબંધો સુધારવા માટે વાતચીત ચાલી રહી છે. આ વાટાઘાતોનો આગામી રાઉન્ડ 24 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાશે.

વિદેશ મંત્રાલયે અફવાઓને ફગાવી

આ ઘટનાક્રમ પછી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો ફેલાયા હતા કે ભારત પણ અમેરિકાના આ ટેરિફનો જવાબ આપવા માટે તૈયાર છે અને તે અમેરિકા દ્વારા મુક્તિ આપવામાં આવેલી વસ્તુઓની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે 'X' (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવી કોઈ યોજના હાલમાં વિચારણા હેઠળ નથી.

આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે એ અહેવાલોને પણ ખોટા ઠેરવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો અમેરિકાની 'પ્રતિકૂળ આર્થિક નીતિઓ' ચાલુ રહેશે તો ભારત અમેરિકા સાથેના તેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનું વિચારી રહ્યું છે.

દ્વિપક્ષીય વાટાઘાટો ચાલુ

અહેવાલો અનુસાર, બંને દેશો આ તણાવપૂર્ણ પરિસ્થિતિને ઉકેલવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હાલમાં વર્ચ્યુઅલ માધ્યમથી વાટાઘાટો ચાલી રહી છે. આ વાટાઘાતોનો છઠ્ઠો અને નિર્ણાયક રાઉન્ડ 24 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાશે, જેમાં અમેરિકાનું ટ્રેડ વાટાઘાત ટીમ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન બાકી રહેલા વેપાર સંબંધિત મુદ્દાઓને ઉકેલવા પર ભાર મૂકવામાં આવશે.

ટ્રમ્પનો આકરો હુમલો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર ભારત પર તીખો હુમલો કરતા લખ્યું હતું કે, "ભલે ભારત અમારો મિત્ર હોય, અમે વર્ષોથી તેમની સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે." તેમણે રશિયા સાથેના ભારતના સંબંધોની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે બંને દેશોએ "તેમની મૃત્યુ પામેલી અર્થવ્યવસ્થાઓ સાથે ડૂબી જવું જોઈએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget