શોધખોળ કરો

India : ચીનને ઉંધે કાંધ પછાડવા LAC પર મોદી સરકારનો માસ્ટર પ્લાન, ડ્રેગનનો રૂંધાશે શ્વાસ

ચીન અરુણાચલ પ્રદેશની સરહદ પર પોતાના વિસ્તારમાં એક ગામ બનાવી રહ્યું છે. તેથી જવાબમાં હવે ભારતે પણ 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' શરૂ કર્યો છે.

ચીન અરુણાચલ પ્રદેશની સરહદ પર પોતાના વિસ્તારમાં એક ગામ બનાવી રહ્યું છે. તેથી જવાબમાં હવે ભારતે પણ 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' શરૂ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અરુણાચલના કિબિથુ ગામમાં આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેનો હેતુ LAC ને અડીને આવેલા ગામોનો વિકાસ કરવાનો અને ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે. જો કે, અમિત શાહની આ મુલાકાત પર ચીન ભડક્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ મુલાકાતથી ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન થયું છે. ચીન અરુણાચલ પ્રદેશને 'જાંગનાન' કહે છે અને તેને પોતાનો હિસ્સો ગણાવે છે.

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શું છે?

મોદી સરકારે સરહદી ગામોના વિકાસ માટે 'વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખના ગામોની ઓળખ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર લદ્દાખ સિવાય આ ચાર રાજ્યોના 19 જિલ્લાના 2 હજાર 967 ગામોનો વિકાસ કરવામાં આવશે. શરૂઆતમાં 662 ગામોની ઓળખ કરવામાં આવી છે. પ્રાથમિકતાના આધારે 662 ગામોની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 455 ગામો અરુણાચલ પ્રદેશના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ (75), ઉત્તરાખંડ (51), સિક્કિમ (46) અને લદ્દાખ (35)માં ગામો છે.

ગામડાઓમાં શું થશે?

1. ગામનો આર્થિક વિકાસ જેથી લોકોને રોજગારીનું સાધન મળી શકે.

2. રોડ કનેક્ટિવિટી વધારવી.

3. ગામડાઓ અને ઘરોના માળખાને મજબૂત બનાવવું.

4. પરંપરાગત અથવા સૌર ઉર્જા દ્વારા ગામડાઓને નવીનીકરણીય ઉર્જા પૂરી પાડવી.

5.IT આધારિત કોમન સર્વિસ સેન્ટર બનાવવું. ગામડાઓમાં દૂરદર્શન અને કોમ્યુનિકેશન કનેક્ટિવિટી સ્થાપવાની સાથે.

6. પ્રવાસન અને સંસ્કૃતિને પ્રોત્સાહન.

7. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા વધારવા.

8. સ્થાનિક સ્તરે સહકારી મંડળીઓનો વિકાસ, ગામડામાં ખેતી, બાગાયત, ઔષધીય છોડ અને જડીબુટ્ટીઓની ખેતી જેવી આજીવિકાની તકોનું સંચાલન કરી શકાય.

આ બધાનો કેટલો ખર્ચ થશે?

- કેન્દ્ર સરકારે આ કાર્યક્રમ માટે 2022-23 થી 2025-26 સુધી 4,800 કરોડ રૂપિયાનું ફંડ રાખ્યું છે, જેમાંથી 2,500 કરોડ રૂપિયા માત્ર રોડ કનેક્ટિવિટી માટે છે.

પરંતુ આ કાર્યક્રમની જરૂર શા માટે?

ભારત અને ચીનની સરહદ 3,488 કિલોમીટર લાંબી છે. ચીન જમ્મુ અને કાશ્મીર સાથે 1,597 કિમી લાંબી સરહદ, અરુણાચલ પ્રદેશ સાથે 1,126 કિમી, ઉત્તરાખંડ સાથે 345 કિમી, હિમાચલ પ્રદેશ સાથે 200 કિમી અને સિક્કિમ સાથે 220 કિમી લાંબી સરહદ વહેંચે છે. આ તમામ રાજ્યોની સરહદોને અડીને આવેલા અનેક ગામો એવા છે જે વેરાન બની ગયા છે. લોકો ગામ છોડીને રોજગારની શોધમાં શહેરમાં ગયા છે. સરહદ પર આવેલા આ ગામો ભારતીય સેના માટે વ્યૂહાત્મક રીતે મહત્વના છે. અહીંના ગ્રામવાસીઓ સેના માટે પ્રથમ ગુપ્તચર છે. તેમને સેનાની આંખ અને કાન કહેવામાં આવે છે. આ સિવાય તેઓ સરહદ પર જરૂરી સામાન પહોંચાડવામાં પણ મદદ કરે છે.

આવી સ્થિતિમાં ખાલી ગામો મોટી સમસ્યા બની રહ્યા છે. તેથી જ કેન્દ્ર સરકારે આ ઉજ્જડ ગામડાઓનું પુનર્વસન કરવા માટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત ગામના લોકોને તે જ ગામમાં અથવા નજીકના ગામ અથવા નજીકના ગામમાં રોજગાર આપવામાં આવશે. સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કાર્યક્રમનો એક ઉદ્દેશ્ય એ છે કે જે લોકો હાલમાં LACને અડીને આવેલા આ ગામોમાં રહે છે તેઓ સ્થળાંતર ન કરે.

શા માટે ભારતનું મોડલ ચીન કરતાં સારું છે?

પહેલી વાત એ છે કે, અરુણાચલ પ્રદેશ સાથેની સરહદ ચીનની નહીં પણ તિબેટની છે. ચીન તિબેટને પોતાનો ભાગ હોવાનો દાવો કરે છે, જ્યારે તિબેટના લોકો પોતાને સ્વતંત્ર કહે છે. અરુણાચલ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ચીન જે ગામ બનાવી રહ્યું છે ત્યાં હાન લોકોને વસાવવામાં આવી રહ્યા છે. તેની પાછળ ચીનનો એક ઉદ્દેશ્ય એ છે કે, હાન ચાઈનીઝ આ ગામોમાં વસવાટ કરે જેથી સ્થાનિક તિબેટીયનોના વિદ્રોહનો સામનો કરી શકાય.

આ સિવાય ચીને પોતાના ભરોસાપાત્ર તિબેટીયનોને પણ આ ગામોમાં વસાવ્યા છે, પરંતુ તે તેમના પર પૂરેપૂરો વિશ્વાસ કરી શકતું નથી. તેથી LAC અને ભારતીય સૈન્યની આજુબાજુની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ચીને આ ગામોની સ્થાપના કરી છે તે હેતુ સંપૂર્ણપણે સફળ નથી.

બીજી તરફ, ભારતના આ ગામડાઓને વસાવવાનો અને વિકાસ કરવાનો હેતુ માત્ર ચીનનો જ નથી, પરંતુ અહીંના સ્થાનિક રહેવાસીઓનો વિકાસ અને તેમની આજીવિકા સુધારવાનો પણ છે. આ બધા પછી, ભારતનો ઉદ્દેશ્ય એ છે કે લોકો અહીં સ્થાયી થાય જેથી તેઓ ભારતીય સેનાની આંખ અને કાન બની શકે.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget