શોધખોળ કરો

CDS Bipin Rawat: જેમના લીડરશીપમાં થઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક, જાણો CDS બિપિન રાવતનું આખુ કરિયર

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 13 અન્ય લોકોનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 13 અન્ય લોકોનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. જેમાં જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત અને સૈન્યના અનેક મોટા અધિકારીઓ સામેલ હતા. એરફોર્સનું હેલિકોપ્ટર તમિલનાડુના કુનુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા જેમાંથી 13ના નિધન થયું છે જ્યારે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી છે.

જનરલ રાવતના પત્નીનું નામ મધુલિકા હતું જે આર્મી વાઇફ્લસ વેલફેર અસોસિયેશનના અધ્યક્ષ પણ હતા. તે મધ્યપ્રદેશના શહડોલના રહેવાસી હતા અને દિવંગત રાજનેતા મૃગેન્દ્રસિંહના  દીકરી હતા. જનરલ રાવત અને મધુલિકા રાવત બે દીકરીઓના માતા પિતા હતા. તેમની એક દીકરીનું નામ કૃતિકા રાવત છે. સાર્વજનિક રીતે બિપિન રાવતની દીકરીઓની ખૂબ ઓછી જાણકારી છે. પરંતુ બંન્ને દીકરીઓ જનરલ બિપિન રાવતની શાન હતી. બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ ભારતીય સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે અને તેઓ લેફ્ટિનન્ટ જનરલના પદ સુધી પહોંચ્યા હતા. તેમની માતા ઉત્તરકાશીથી ધારાસભ્ય રહેલા કિશન સિંહ પરમારના દીકરી હતા.

63 વર્ષના જીવનમાં જનરલ રાવતે અનેક એવા કામ કર્યા છે જે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉરી હુમલા બાદ સરહદ પાર જઇને સર્જિકલ સ્ટ્રાઇક પેરા કમાન્ડોઝે ભલે કરી હોય પરંતુ તે પાછળનું દિમાગ જનરલ રાવતનું હતું. અશાંત વિસ્તારમાં કામ કરવાનો અનુભવને જોતા મોદી સરકારે ડિસેમ્બર 2016માં જનરલ રાવતને આર્મી ચીફ બનાવ્યા હતા.

મણિપુરમાં જૂન 2015માં આતંકી હુમલામાં કુલ 18 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ 21 પેરા કમાન્ડોએ સરહદ પાર જઇને મ્યાનમારમાં આતંકી સંગઠન એનએસસીએન-કેના અનેક આતંકીઓને ઠાર માર્યા હતા ત્યારે આ કમાન્ડો પેરા થર્ડ કૉર્પ્સના હેઠળ હતા જેના કમાન્ડર બિપિન રાવત જ હતા.


જનરલ રાવત આર્મી ચીફના પદ પરથી 31 ડિસેમ્બર 2019ના રોજ નિવૃત થયા બાદ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા. ઉત્તરાખંડ સાથે સંબંધ ધરાવનારા રાવતને  પૂર્વીય સેક્ટરમાં એલઓસી,કાશ્મીર ઘાટી અને પૂર્વોત્તરમાં કામ કરવાનો લાંબો અનુભવ હતો. કારગીલ યુદ્ધમાં પણ તેમણે શૌર્યનો પરિચય આપ્યો હતો.

16 ડિસેમ્બર 1978ના રોજ જનરલ બિપિન રાવત સેકન્ડ લેફ્ટિનન્ટ સૈન્યમાં ભરતી થયા  હતા. 1980માં તે લેફ્ટિનન્ટના પદ પર પ્રમોટ કરાયા હતા. 1984માં તેમને સૈન્યના કેપ્ટનની  રેન્ક અપાઇ હતી. 1989માં તે મેજર બન્યા હતા. 1998માં તે લેફ્ટિનન્ટ કર્નલ બન્યા હતા. બાદમાં કારગીલમાં યુદ્ધ થયું હતું. વર્ષ 2003માં તેઓ કર્નલ બન્યા હતા. ચાર વર્ષ બાદ 2007માં તેઓને બ્રિગેડિયર બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2011માં તે મેજર જનરલ બન્યા હતા. 2014માં લેફ્ટિનન્ટ જનરલના પદ પર પ્રમોટ કરાયા હતા. એક જાન્યુઆરી 2017માં મોદી સરકારે તેઓને આર્મી ચીફ બનાવ્યા હતા. 2017માં ડોકલામમાં ભારતીય સૈન્યએ સૈન્ય વડા જનરલ બિપિન રાવતની આગેવાનીમાં ભારતીય સૈન્યએ ચીની સેનાનો સામનો કર્યો હતો અને ચીનને  પાછળ હટવા માટે મજબૂર કર્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
Embed widget