શોધખોળ કરો

Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Acharya Satyendra Das: બ્રેઇન હેમરેજ થયા બાદ તેમની લખનઉના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.

Acharya Satyendra Das:  ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. બ્રેઇન હેમરેજ થયા બાદ તેમની લખનઉના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.

હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસજીએ આજે ​​અંતિમ શ્વાસ લીધા હતા. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યૂરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસ 3 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા.

આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે લાંબી બીમારી બાદ તેમનું લખનઉના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. તેમના શિષ્યો તેમના પાર્થિવ દેહને લઇને અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. અંતિમ સંસ્કાર આવતીકાલે (13 ફેબ્રુઆરી) અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે. તાજેતરમાં પીજીઆઈએ એક હેલ્થ બુલેટિન જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે.

SGPGI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સત્યેન્દ્ર દાસજીને સ્ટ્રોક આવ્યો છે. તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા અને હાલમાં ન્યૂરોલોજી આઈસીયુમાં દાખલ હતા. પીજીઆઈ વહીવટીતંત્રના અધિકારી પીઆરઓએ જણાવ્યું હતું કે તેમણે સવારે પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર સીએમ યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું- પરમ રામભક્ત, શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી અયોધ્યા ધામના મુખ્ય પૂજારી આચાર્ય શ્રી સત્યેન્દ્ર કુમાર દાસજી મહારાજનું નિધન અત્યંત દુઃખદ છે અને સામાજિક અને આધ્યાત્મિક જગત માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ! હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આ પાર્ટી ભાજપનું હથિયાર છે"
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આ પાર્ટી ભાજપનું હથિયાર છે"
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
Embed widget