શોધખોળ કરો

MRSAM: 2448 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરી શકે ભારતની આ મિસાઇલ, કરાયુ સફળ પરીક્ષણ

આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ઈઝરાયેલની IAI કંપની સાથે મળીને બનાવવામાં આવી છે.

નવી દિલ્હીઃ ભારતીય સેના માટે બનાવેલ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (Medium Range Surface to Air Missile - MRSAM)નું 27 માર્ચ 2022 ના રોજ ઓડિશાના બાલાસોરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલે થોડી જ મિનિટોમાં સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને નષ્ટ કરી દીધું.

આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ઈઝરાયેલની IAI કંપની સાથે મળીને બનાવવામાં આવી છે. ઈઝરાયેલ તરફથી ભારતને મળેલી બરાક મિસાઈલ પણ MRSAM છે. સરફેસ ટુ એર મિસાઇલ (SAM) આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી-ફંક્શન રડાર, મોબાઇલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. તે ઈઝરાયેલની ખતરનાક મિસાઈલ બરાક-8 પર આધારિત છે.

MRSAMનું વજન લગભગ 275 કિલો છે. લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે. આ મિસાઈલ પર 60 કિલો વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે. તે બે તબક્કાની મિસાઈલ છે, જે લોન્ચ થયા બાદ ઓછો ધૂમાડો બહાર કાઢે છે.

એકવાર લોન્ચ થયા પછી એમઆરએસએએમ (મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ) આકાશમાં 16 કિમી સુધીના લક્ષ્યને સીધી હિટ કરી શકે છે. જો કે તેની રેન્જ અડધા કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની છે. એટલે કે આ રેન્જમાં આવતા દુશ્મનના વાહન, એરક્રાફ્ટ, ડ્રોન કે મિસાઈલને નષ્ટ કરી શકાય છે.

એમઆરએસએએમ મિસાઈલમાં નવી બાબત એ છે કે દુશ્મનનું પ્લેન બચવા માટે રેડિયો ફ્રીક્વન્સી સીકરનો ઉપયોગ કરે છે તો પણ તેના પર વાર કરી શકે છે. તેની સ્પીડ 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2448 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની ઝડપ પણ તેને અત્યંત ઘાતક બનાવે છે.

ભારતે ઈઝરાયેલ પાસેથી MRSAM મિસાઈલની પાંચ રેજિમેન્ટ ખરીદવાની વાત કરી છે. તેમાં 40 લોન્ચર અને 200 મિસાઈલ હશે. આ ડીલની કિંમત લગભગ 17 હજાર કરોડ રૂપિયા છે. આ મિસાઈલોની તૈનાતી ભારતને હવાઈ સંરક્ષણ કવચ બનાવવામાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે તે વર્ષ 2023 સુધીમાં તૈનાત થઈ જશે.

ઈઝરાયેલ સાથે ભારતની સારી મિત્રતા છે. ભારતે 1996માં ઈઝરાયેલ પાસેથી 32 સર્ચર માનવરહિત એરિયલ વ્હીકલ ખરીદ્યા હતા. આ સિવાય લેઝર ગાઈડેડ બોમ્બ પણ ખરીદવામાં આવ્યા હતા. બરાક-1 મિસાઇલથી બરાક-8 અને બરાક-8ER મિસાઇલ સુધીની ડીલ ચાલી રહી છે. બરાક મિસાઇલ પણ MRSAM નું એક ઉત્તમ ઉદાહરણ છે.

વિશાખાપટ્ટનમ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (INS વિશાખાપટ્ટનમ) 32 એન્ટી એર બરાક મિસાઈલ તૈનાત કરી શકે છે. જેની રેન્જ 100 કિમી છે. અથવા બરાક 8ER મિસાઇલો પણ તૈનાત કરી શકાય છે, જેની રેન્જ 150 કિમી છે. તેમાં 16 એન્ટી શિપ અથવા લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઈલ લગાવી શકાય છે. એટલે કે આ બે મિસાઈલોથી સજ્જ થયા બાદ આ યુદ્ધ જહાજ દુશ્મનના જહાજો અને વિમાનો પર તૂટી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget