કતારમાં અમેરિકાની આર્મી પર ઈરાનનો મોટો હુમલો: ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી, 'ઘરમાં રહો અને....'
મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો; કતારે ઈરાની હુમલાની સખત નિંદા કરી; બહેરીન-કુવૈતમાં ઈમરજન્સી સાયરન, બહેરીને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું.

Iran Missile Attack: મધ્ય પૂર્વમાં ભડકેલી આગ હવે વધુ વકરી રહી છે. અમેરિકી હુમલાઓના જવાબમાં ઇરાને (Iran Missile Attack) કતારમાં આવેલા યુએસ લશ્કરી મથકોને નિશાન બનાવીને મિસાઈલોથી હુમલો કર્યો છે. આ ઘટનાક્રમ બાદ, કતાર સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તેના નાગરિકો માટે તાત્કાલિક એડવાઈઝરી જારી કરીને સતર્ક રહેવા અને ઘરની અંદર જ રહેવાની સલાહ આપી છે.
ભારતીય દૂતાવાસની સૂચના:
કતારમાં યુએસ લશ્કરી મથકો પર ઈરાની હુમલાઓ વચ્ચે, ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, "વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કતારમાં ભારતીય સમુદાયને સતર્ક રહેવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને શાંત રહો અને સ્થાનિક સમાચાર, કતારના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શનનું પાલન કરો. દૂતાવાસ અમારા સોશિયલ મીડિયા ચેનલો દ્વારા પણ અપડેટ્સ આપતા રહેશે."
કતાર દ્વારા હુમલાની સખત નિંદા
ઇરાને કતારમાં આવેલા અલ-ઉદેદ એરબેઝ પર 10 મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે. જોકે, આ હુમલાઓમાં યુએસ લશ્કરી મથકોને કેટલું નુકસાન થયું છે તેની વિગતવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. કતારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કોઈ ઘટના કે જાનહાનિના અહેવાલ નથી.
In view of the ongoing situation, Indian community in Qatar is urged to be cautious and remain indoors. Please remain calm and follow local news, instructions, and guidance provided by Qatari authorities. The Embassy will also keep updating through our social media channels. pic.twitter.com/gHK3Hr0GMt
— ANI (@ANI) June 23, 2025
આ હુમલાની કતાર દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. કતારના વડા પ્રધાનના સલાહકાર અને વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા માજિદ અલ અંસારીએ જણાવ્યું હતું કે, "કતાર રાજ્ય ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા અલ-ઉદેદ એર બેઝ પર કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરે છે. અમે આને કતાર રાજ્યની સાર્વભૌમત્વ, તેના હવાઈ ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ઘોર ઉલ્લંઘન માનીએ છીએ. અમે ખાતરી આપીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, આ બેશરમ આક્રમણની પ્રકૃતિ અને સ્કેલનો સીધો જવાબ આપવાનો કતાર અધિકાર રાખે છે."
Advisor to the Prime Minister and official Spokesperson for Ministry of Foreign Affairs of Qatar, Majed Al Ansari tweets, "The State of Qatar strongly condemns the attack that targeted Al-Udeid Air Base by the Iranian Revolutionary Guard. We consider this a flagrant violation of… pic.twitter.com/uz0qbSJsBW
— ANI (@ANI) June 23, 2025
અન્ય દેશો પર અસર
ઇરાની હુમલા પછી, બહેરીન અને કુવૈતમાં પણ ઇમરજન્સી સાયરન વાગી રહ્યા છે, જે સૂચવે છે કે આ પ્રદેશમાં તણાવ હજુ પણ ઊંચો છે. બહેરીને પણ સાવચેતીના ભાગરૂપે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ ઘટનાક્રમ મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતામાં વધારો કરી રહ્યા છે.





















