![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વર્ચ્યુઅલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આપી રહ્યું છે મફત લેપટોપ ?
આ વાયરલ થઈ રહેલ મેસેજ સાચો છે કે ખોટો તે પીઆઈબી ફેખ્ટ ચેકે ટ્વીટ કરી શિક્ષણ મંત્રાલય તરફતી જાણકારી શેર કરી છે.
![વર્ચ્યુઅલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આપી રહ્યું છે મફત લેપટોપ ? Is the Union Ministry of Education offering free laptops to promote virtual education? Pib fact check વર્ચ્યુઅલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આપી રહ્યું છે મફત લેપટોપ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/2cdedab8879c7c06a9375783c8db5cb1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર મેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જે અનુસાર શિક્ષણ મંત્રાલય કોવિડ-19ના કહેરની વચ્ચે વર્ચ્યુઅલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે બધાને ફ્રીમાં લેપટોપ આપી રહ્યું છે.
આ વાયરલ થઈ રહેલ મેસેજ સાચો છે કે ખોટો તે પીઆઈબી ફેખ્ટ ચેકે ટ્વીટ કરી શિક્ષણ મંત્રાલય તરફતી જાણકારી શેર કરી છે. ટ્વીટમાં લોકોને આવા મેસેજ શેર ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ટ્વીટમાં પીઆઈબીએ લખ્યું છે કે, "લિંક સાથેના માસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ મંત્રાલય COVID-19 કહેરની વચ્ચે વર્ચ્યુઅલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે તમામ લોકોને મફત લેપટોપ આપશે. આ દાવો ખોટો છે, આવા મેસેજ આગળ મોકલશો નહીં." આવી વેબસાઇટ્સ પર ક્યારેય વ્યક્તિગત માહિતી આપવી નહીં.
A message along with a link is claiming that @EduMinOfIndia will provide free laptops to all people to support virtual learning amid the #COVID19 outbreak#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) August 3, 2021
▶️This claim is #FAKE
▶️Don't forward such messages
▶️Never disclose personal information on such websites pic.twitter.com/nNg2Gb7IIl
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
'પ્રધાનમંત્રી યોજના' હેઠળ મોદી સરકાર માત્ર 1 ટકા વ્યાજે લોન આપી રહી હોવાનો દાવો, જાણો સરકારે શું કહ્યું ?
સોશિયલ મીડિયામાં નકલી સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવો જ વાયરલ મેસેજ તમને પણ મળ્યો હશે જેમાં આધાર કાર્ડ દ્વારા મોદી સરકાર તમને માત્ર 1 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે.
વાયરલ થઈ રહેલ આ અહેવાલ મામલે પીઆઈબી ફેક્ટ ચેકે સાચું શું છે તેની તપાસ કરી કે શું ખરેકર મોદી સરાકર 1 ટકાના વ્યાજ દરે સરળતાથી લોન ઉપલબ્ધ કરાવી રહી છે. જણાવીએ કે, પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને સાવચેત કર્યા છે કે PIB Fact Checkમાં આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી યોજના’ નામની આવી કોઈ યોજના અંતર્ગત લોન આપવામાં નથી આવી રહી. જણાવીએ કે WhatsApp પર શેર કરવામાં આવી રહેલ એક મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આધાર કાર્ડના માધ્યમથી 1 ટકાના વ્યાજ પર લોન મળી રહી છે.
दावा: #WhatsApp पर साझा किए जा रहे एक मैसेज में यह दावा किया जा रहा है कि प्रधानमंत्री योजना के तहत आधार कार्ड के माध्यम से 1% ब्याज पर लोन मिल रहा है। #PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा 'प्रधानमंत्री योजना' नामक ऐसी किसी योजना के तहत लोन नहीं दिया जा रहा है। pic.twitter.com/fGJpE4Bs4A
— PIB Fact Check (@PIBFactCheck) August 2, 2021
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)